________________
૨૯૫
ચૌદ વણસ્થાનક ભાગ-3
ચોદ ગુણસ્થાનક ભાગ-૩
.......... ૨૯૫
આ પ્રકારો ધ્યાનમાં રાખી અસત્ય ન બોલાઇ જાય એની કાળજી રાખવી.
મિશ્ર (સત્યાસત્ય) ભાષા ૧૦ પ્રકારની
ભાષા મિશ્ર તરીકે તો વ્યવહારથી ગણાય છે, બાકી નિશ્ચયથી તો તે અસત્ય જ છે. વ્યવહારથી કહેવાય કે થોડો સાચો અંશ હોય ને થોડો જૂઠો અંશ; એવી ભાષા એ મિશ્ર. એમાં,
(૧) ઉત્પન્ન સંબંધી - દા.ત. “આ નગરમાં ૧૦ છોકરા જખ્યા,” એમ બોલે, પણ ખરેખર ઓછા વધુ જગ્યા હોય.
(૨) વિનષ્ટ સંબંધી - દા.ત. “અહીં આજે આટલા મરી ગયા.” ખરેખર ઓછાવધુ મર્યા હોય.
(૩) ઉત્પન્ન વિનષ્ટ ઉભય સંબંધી - દા.ત. “આ શહેરમાં દશ જખ્યા. દશ મર્યા.”
(૪) જીવમિશ્ર - દા.ત. જીવતા-મરેલા કીડાના સમૂહને માટે કહે “આ જીવસમૂહ છે.”
(૫) અજીવમિશ્ર - ઉપરોક્ત સમૂહમાં બધા નહિ પણ ઘણા મરેલા હોય છતાં કહે “આ મરેલા કીડાનો ઢગ છે.”
(૬) જીવાજીવમિશ્ર - દા.ત. એ જ સમૂહ માટે કહેવું કે આટલા જીવતા છે કે આટલા મરેલા છે. ખરેખર તેજ પ્રમાણે ના હોય.
(૭) અનંતમિશ્ર - દા.ત. પાંદડાદિ પ્રત્યેક જીવ સહિત કંદમૂળ માટે કહે “આ અનંતકાય છે.”
(૮) પ્રત્યેકમિશ્ર - દા.ત. અનંતકાયના લેશવાળી પ્રત્યેક વનસ્પતિ માટે કહે કે “આ પ્રત્યેક જીવો છે.'
(૯) અદ્વામિત્ર એટલે કે કાળમિશ્ર - દા.ત. જવાની ઉતાવળ હોય અને દિવસ પૂરો થવા આવ્યો હોય ને કહે “ચલો ચલો રાત