________________
–
–
–
–
ચૌદ ગુણસ્થાનક ભાd-૩
૨૧૩
– – ઇર્યા' નો અર્થ થાય છે-ગતિ. ગતિ એટલે ગમન કરવું. મુનિઓ, એ બસ જીવો કે સ્થાવર જીવો અર્થાત્ જીવ માત્રને અભયદાના આપવા માટે જ દીક્ષિત થયેલા છે. તેઓ વિના પ્રયોજને તો ચાલતા પણ નથી : પરન્તુ સંયમના પાલનને માટે ચાલવું એ પણ આવશ્યક છે. એવી આવશ્યક્તા જ્યારે જ્યારે ઉભી થાય, ત્યારે ત્યારે શાસ્ત્રવિધિ મુજબ ઉપયોગપૂર્વક ચાલવું-એનું નામ “ઇર્યાસમિતિ' કહેવાય છે. જીવોની રક્ષા, એ તો મુનિઓનું વ્રત જ છે. મુનિઓ. પોતાના કારણે કોઇ પણ જીવને હાનિ ન પહોંચે, એની કાળજીવાળા હોય છે અને એથી સંયમપાલન માટે આવશ્યક પ્રયોજને પણ ગમનાગમન કરતાં, સાચા યતિઓ જીવરક્ષાની કાળજી ધરાવે છે. આવા વ્રતધારી મુનિઓનું શરીર એ ધર્મશરીર છે અને એ ધર્મશરીરની રક્ષા એ પણ વિહિત છે. આ હેતુથી આવશ્યક પ્રયોજના પળે પણ ચાલતા મુનિઓએ, જીવોની રક્ષાના નિમિત્તે અને પોતાના શરીરની રક્ષાના નિમિત્તે પગના અગ્રભાગથી આરસ્મીને યુગ. માત્ર ક્ષેત્ર એટલે ગાડાની ધુંસરી પ્રમાણ ક્ષેત્ર સુધી બરાબર જોઇને ચાલવાનો વિધિ છે. આ વિધિનો અમલ કરનારને ઇર્ષાસમિતિના પાલક કહેવાય છે.
સ, જીવદયાના પાલન માટે આ પણ ઘણી જ જરૂરી વસ્તુ છે.
આ વસ્તુના જાણ ચાલવામાં કેવા વિવેકી હોય, એ જ વિચારવાનું છે. ઇર્ચાસમિતિના પાલક મુનિઓ, આગળ ધુંસરા. પ્રમાણ જગ્યાનું નિરીક્ષણ કરતા ચાલે. માર્ગમાં આવતાં જીવવાળાં અનાજ વિગેરે બીજો, નાના પ્રકારની વનસ્પતિ, પાણીનાં સ્થાનો, માટી અને અન્ય જીવો આદિ ઉપર પગ ન આવી જાય-એની સાવચેતી તો એવા મહાપુરૂષોમાં પૂરેપૂરી હોય જ. ખાડા આદિને પણ ચાલે ત્યાં સુધી મુનિઓ લંઘે જ નહિ. આ સમિતિના પાલક