Book Title: Chaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 389
________________ – ––– – – – – –– – – – – – – – ૩૮૨ ચૌદ ગુણસ્થાઇક ભાગ-૩ – – વચન અને કાયાના યોગ એજ સદ્વિચારમાં પુરી રહ્યા છે. આપે આપેલા આ અવલંબનથી હું આ સંસાર સાગરમાંથી બચ્યો છું.” આ પ્રમાણે કહી મુમુક્ષુએ મહાત્મા આનંદસૂરિના ચરણમાં દંડવત પ્રણામ કર્યો, અને વિધિ સહિત વંદના કરી તે મહાત્માની સ્તુતિ કરી- “ભગવન્, આપ ખરેખર આનંદસૂરિ છો. આત્માને આરામ આપનારા આત્મારામ છો, અને આ સંસારમાં યુદ્ધ કરવા સજ્જ થયેલા મોહાદિ શત્રુઓનો વિજયકરાવી આનંદ આપનારા વિજયાનંદ છો, અને મારા સાચા મિત્ર વીરભક્ત છો.” આ સ્તુતિના શબ્દો મુમુક્ષુના મુખમાંથી નીકળતા હતા, તેવામાં ચૌદ પગથીઆવાલી મોક્ષપદ સોપાનની નીસરણી અદ્રશ્ય થઇ ગઇ. અને તે સાથે મુમુક્ષુની સાંસારિક ભાવની વૃત્તિ પણ અદ્રશ્ય થઇ ગઇ. ઉપસંહાર પ્રથમ મનોહર અને રમણીય પ્રદેશમાં આવેલા દિવ્ય આત્મા મહાનુભાવ આનંદસૂરિના મોક્ષપદ સોપાનના પ્રત્યક્ષ ઉપદેશથી મુમુક્ષુ પ્રતિબુદ્ધ થયો હતો. સંસારના પરિતાપમાંથી મુક્ત થવા માટે આત્માના ઉચ્ચ ગુણોનું સ્વરૂપ જાણવાની તેની પ્રબળ ઇચ્છા પાર પડી હતી. જે મહાત્માએ તેને આ પવિત્ર પ્રદેશનો માર્ગ બતાવ્યો હતો, તેમને અને મહાનુભાવ આનંદસૂરિનો હૃદયથી આભાર માની તે મુમુક્ષુએ આનંદ મૂર્તિ આનંદસૂરિની સમીપ ચારિત્ર ધર્મ અંગીકાર કર્યો હતો. અને તે પછી તેણે જે ચતુર્દશ સોપાનની શ્રેણી પ્રત્યક્ષ જોયેલ તેના સ્વરૂપનું મનન કરી તે પર ક્રમારોહણ કરી પોતાના સાધુ જીવનની સાર્થકતા કરી હતી, અને અયોગી કેવલીના સોપાન પર આરૂઢ થવાની યોગ્યતા મેળવવાને તે પૂર્ણ ઉમેદવાર બન્યો

Loading...

Page Navigation
1 ... 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412