________________
ચૌદ ગુણસ્થાનક ભાણ-૩
આવે એટલે કહે છે કે ભાઇ અમોને મારતા નહિ અમે જવાતૈયાર છીએ અને અમે જઇએ છીએ.
આ ગુણસ્થાનકમાં પ્રાતિભજ્ઞાન જીવને પેદા થાય છે, જ્યારે ત્રણ ઘાતી કર્મોનો નાશ થાય ત્યારે જીવો તેરમા સયોગિ કેવલી ગુણસ્થાનકને પામે છે અને તેના પહેલા સમયે કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરે છે.
દ્રાક્શ સોપાન (ક્ષીણમોહ ગુણસ્થાન)
૩૫૯
શુદ્ધ ચૈતન્યરૂપ, અપૂર્વ શક્તિ ધારણ કરનાર અને સર્વ ગુણ સંપન્ન પરમાત્માના સ્વરૂપનું ધ્યાન કરનારા, કર્મોના વિચિત્ર અને વિલક્ષણ સ્વરૂપને સમજનારા, અને આ વિશ્વની અગણિત સૂચનાઓને ઓળખનારા મહાનુભાવ આનંદસૂરિ શાંત સ્વરથી બોલ્યા- “ભદ્ર, આ નિર્મલ તત્ત્વબોધક નીસરણીના બારમા પગથીઆ ઉપર તારી દ્રષ્ટિ પ્રસાર.”
આ સુંદર સોપાન ક્ષીણમોહ નામના બારમા ગુણસ્થાનથી ઓળખાય છે. અહિં સકલ મોહનો ક્ષય થાય છે, તેથી આ સ્થાનનું નામ ક્ષીણમોહ પડેલું છે. ઉપશમક જીવ ઉપશમ મુર્તિરૂપ સહજ સ્વભાવબલથી સર્વ મોહકર્મ ઉપશાંત કરવાથી અગીયારમા ગુણસ્થાનકથી અને ક્ષપક થઇ ક્ષપકશ્રેણીના માર્ગવડે દશમા ગુણસ્થાનથીજ નિઃકષાય શુદ્ધ આત્મભાવનું બળ પ્રાપ્ત થાય છે, તેથી અહિં સર્વ મોહનો ક્ષય થાય છે, માટે આ ગુણસ્થાન ક્ષીણમોહના નામથી ઓળખાય છે.
વત્સ, જો આ પગથીઆની સાથે એક પ્રકાશમય દોરી દેખાય છે, તેને દશમા પગથીઆની સાથે બાંધેલી છે, આ સુચના જાણવા