________________
-
-
-
-
-
-
-
-
-
—
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
૨૨૭
—મનોગતિ, કે જે પરમ શુદ્ધ માધ્યચ્ચ પરિણતિ રૂપ છે અને જેમાં સત્ય સત્ય રૂપે અને અસત્ય અસત્ય રૂપે સ્પષ્ટતયા ભાસમાના થાય છે, તે જ આદરણીય છે. માધ્યચ્ચ પરિણતિ વસ્તુને શુદ્ધ સ્વરૂપે ઓળખાવા માટે શુદ્ધ આરિસા જેવી છે. એવી માધ્યચ્ચ પરિણતિ શાસ્ત્રાનુસારિણી જ હોય, એ જ કારણે એ સુન્દર એવો જે પરલોક તેને સાધનારી હોય અને એથી જ એ ધર્મધ્યાનનો અનુબન્ધ કરનારી હોય : આ રીતિએ જોતાં સઘળાય કલ્યાણ વિચારો જેમાં સમાય છે, એવા સુંદર પ્રકારના ધ્યાનની એ જડ નાખનારી છે. આ કારણે મુનિઓ આ બીજા પ્રકારની મનોગતિથી પણ શોભતા જ હોય.
(૩) ત્રીજા પ્રકારની મનોગુમિ તો યોગ-નિરોધાવસ્થામાં હોય છે. એ ત્રીજા પ્રકારની મનોગુપ્તિમાં કુશલ અને અકુશલા મનોવૃત્તિનો નિરોધ હોય છે. એ ઉભય પ્રકારની મનોવૃત્તિના નિરોધ દ્વારા કેવળ સંપૂર્ણ આત્મરમણતા જેમાં હોય, એવી એ ગુપ્તિ છે. આ ગુક્તિ પામવા માટે પ્રથમની બે પ્રકારની ગુપ્તિઓનું આસેવન ખૂબ જ આવશ્યક છે. પુદ્ગલના રસિઆ અને પુગલના સંગમાં આનન્દ માનતા આત્માઓ માટે આ પ્રકારની મનોગુતિ સદાને માટે અોય જ છે. ત્રીજી ગુક્તિ પામ્યા પછી આત્મા મુક્તપ્રાયઃ જ ગણાય છે. એવા આત્માનો સંસારકાલ ઘણો જ અભ હોય છે. આ દશા પામવા માટે જ પ્રથમની બે ગુતિઓ આવશ્યક છે અને આ દશા પામવાના ધ્યેય સિવાય પ્રથમની બે ગુતિઓ આવવી, એ પણ શક્ય નથી. કેવું મન મનોગતિ?
આ ત્રણેય પ્રકારની મનોગતિનું અર્થિપણું કલ્યાણકામી. એવા દરેકને માટે આવશ્યક છે. ત્રીજા પ્રકારની મનોતિને ધ્યેય