________________
૨૯૪
ચૌદ વણસ્થાનક ભાગ-3
ભાષાપ્રયોગ કરવો જોઇએ. અસત્ય ભાષા ૧૦ પ્રકારની છે :
(૧) ક્રોધથી બોલાય તે, દા.ત. બાપ ગુસ્સામાં પુત્રને કહે તું મારો દિકરો નથી.” અથવા ક્રોધના આવેશમાં બોલાય તે આશયના બિગાડાને કારણે અસત્ય છે.
(૨) માનથી બોલાય તે; દા.ત. પાસે થોડું ધન છે પણ અભિમાનથી કહે “હું ધનવાન છું.”
(૩) માયાથી બોલાય તે, દા.ત. દાન ન દેવું હોય એટલે કહે “મારી પાસે પૈસા નથી.”
(૪) લોભથી - દા.ત. વેપારી ભેળસેળિયા માલ માટે કહે “આ માલ ચોખ્ખો છે.”
(૫) પ્રેમથી – દા.ત. અતિ રાગી કહે કે “હું તારો દાસ છું.”
(૬) દ્વેષથી - દા.ત. ઇર્ષ્યાળુ ગુણવાન માટે કહે કે “આ નિર્ગુણી છે.'
(9) હાસ્યથી - દા.ત. મશ્કરો કોઇકનું આવું પાછું કરી કહે “મને શી ખબર ?'
(૮) ભચથી - દા.ત. ચોર વગેરેથી પકડાયેલો બોલવામાં લોચા વાળે તે.
(૯) કથા કહેતાં - એમાં અસત્રલાપ કરે, અસત્ય ગવડાવે
તે.
(૧૦) ઉપઘાતકારી - વચન, આળ; દા.ત. ચોર ન હોય તેને માટે કહે “આ ચોર છે' અથવા કોઇને દુઃખ-પીડા થાય એવું બોલે; દા.ત. ચોર માટે પણ કહે “આવાને તો મારવા જ જોઇએ.” એમ આંધળાને કહે “એ આંધળા!” અથવા તૈયાર પાકેલા ખેતર માટે કહે “હવે આ લણવા યોગ્ય છે.”