________________
૧૦૨
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
—
—
—
—
—
—
—
—
છે, કારણ કે-તેઓ પોતાના ચારિત્રમોહ કર્મના તેવા પ્રકારના ક્ષયોપશમાદિને સાધનારા બની શકતા નથી. સમ્યગ્દર્શન અને સુશ્રુષા આદિ ગુણોના સંબંધમાં
શાઓ અને તેનાં સમાધાનો
આવા વિવેચન વખતે, કયા કર્મના ક્ષયોપશમાદિથી કર્યું કાર્ય બની શકે છે, એ વસ્તુને જાણનારને એવો પ્રશ્ન કરવાનું મન થાય એ સંભવિત છે કે- “જો સખ્યદ્રષ્ટિ આત્માને ચારિત્રમોહનો ક્ષયોપશમ ન હોય, તો વિરતિ પણ ન હોય-એમ આપ કહો છો; તો આપ સખ્યદ્રષ્ટિ આત્મામાં શુશ્રુષાદિ ગુણો હોય છે-એવું પણ કહી શકો નહિ ? કારણ કે-શુશ્રુષાદિ ગુણો, એ જ્ઞાન અને ચારિત્રના અંશ રૂપ છે અને એથી જ્ઞાનાવરણીય-કર્મના, ચારિત્રમોહનીય-કર્મના તથા વીર્યાન્તરાય-કર્મના ક્ષયોપશમ વિના શુશ્રુષાદિ ગુણો સંભવી શકે જ નહિ.'
વાત સાચી છે કે શુશ્રુષાદિ ગુણો જ્ઞાન અને ચારિત્રના અંશ રૂપ છે અને એથી એ ગુણોને પામવાને માટે જ્ઞાનાવરણીયકર્મ, ચારિત્રમોહનીય-કર્મ તથા વીર્યાન્તરાય-કર્મના ક્ષયોપશમની આવશ્યક્તા છે; પણ ઉપકારિઓ માને છે કે- “જે વખતે જીવ સમ્યક્ત્વના હેતુ રૂપ મિથ્યાત્વમોહનીય કર્મનો ક્ષયોપશમ કરે છે, તે વખતે તે જીવ એકલા મિથ્યાત્વમોહનીય કર્મનો જ ક્ષયોપશમ કરતો નથી, પણ તેની સાથે સાથે જ તે જીવ જ્ઞાનાવરણીય-કર્મનો પણ ક્ષયોપશમ કરે છે અને અનન્તાનુબધિ કષાય છે લક્ષણ જેનું એવા ચારિત્રમોહનીય-કર્મ આદિનો પણ ક્ષયોપશમ કરે છે. સમ્યકત્વના હેતુ રૂપ મિથ્યાત્વમોહનીય-કર્મના ક્ષયોપશમના અવસરે, જ્ઞાનાવરણીય-કર્મ તથા અનન્તાનુબંધિ કષાયલક્ષણ