________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
૨૮૫
(૪) પૂરછની - ક્યાંથી આવ્યો ? ક્યાં જઇશ ? જીવ કેટલા ? અજીવ કેટલા ? ઇત્યાદિ પ્રસ્નાત્મક વચન.
(૫) પ્રજ્ઞાપની - વિનીતને કર્તવ્યનું પ્રતિપાદન કરનાર વિધિવચન.
(૬) પ્રત્યાખ્યાની – “પાપ નહિ કરું' ઇત્યાદિ નિષેધ પ્રતિજ્ઞાવચન.
(0) ઇચ્છાનુલોમાં – “આ કરું છું' “આ કરો” “વિલંબ ન કરો” “પ્રતિબંધ ન કરો” “જહાસુહં દેવાણુપ્રિયા' ઇત્યાદિ ઇચ્છાનુકુળ વર્તવા માટે કહેવામાં આવતાં વચનો.
(૮) અનભિગ્રહિતા - કોઇ એકનું પણ અવધારણ નહિ કરનાર યદચ્છમાત્ર મૂલક “ડિO” “પવિત્યાદિ પદો.
(૯) અભિગૃહિતા - કોઇ એકનું પણ અવધારણ કરાવનાર ઘટાદિ પદો.
(૧૦) સંશયકરણી સૈન્શવમાનય ! સબ્ધવને લાવ. સેન્ધવ એટલે લવણ પણ થાય અને ઘોડો પણ થાય-બેમાંથી એકનો નિશ્ચય નહિ કરાવનાર અનેક અર્થ અભિધાયક પદો.
(૧૧) વ્યાકૃતા - પ્રકટાર્થવાળી ભાષા છે-જેમકે આ દેવદત્તનો ભાઇ છે અને યજ્ઞદત્તનો જમાઇ છે.
(૧ર) અવ્યાકૃતા - અતિ ગંભીર અને મહાન અર્થવાલી જેનો તાત્પર્યાર્થ સહેલાઇથી ન સમજી શકાય તેવી ભાષા, અથવા સ્પષ્ટ જ્ઞાન કરાવનારી મોટા માણસોની ભાષા તે “વ્યાકૃતા' કહેવાય છે. અને અસ્પષ્ટ જ્ઞાન કરાવનારી બાલકાદિની ભાષાને અવ્યાકૃતા' કહેવાય છે.
ઉપર્યુક્ત ચારે પ્રકારની ભાષા દેવ, નારકી અને મનુષ્યને તથા શિક્ષા અને લબ્ધિ સહિત શુકસારિકાદિ તિર્યંચોને સંભવે છે. શિક્ષા એટલે સંસ્કાર-વિશેષ-જનક પાઠ અને લબ્ધિ એટલે