________________
૭૪
ચૌદ Puસ્થાનક ભાગ-૩
અણમોલા માનવજીવનની સફ્લતા થાય, તેમ વીર્ય ફોરવી અને ધૈર્ય દાખવી એ ઉપસ્થિત થયેલા વિદ્ગોનો વિજય મેળવવો, પ્રતિજ્ઞાત અને આરબ્ધ કાર્યની યાવત પૂર્ણાહુતિ સ્થિરતા જાળવવી, દ્રઢતા દાખવવી અને એનો નિર્મલનિર્વાહ કરવો-પાલન કરવું, એ પણ આવશ્યક છે.
જો એ પ્રકારે તે તે સુયોગ્ય નિયમોથી જીવનનું ઘડતર ઘડવામાં આવે અને પ્રાણના ભોગેય તેનું યથાર્થ પાલન કરવામાં આવે, તો આ અમૂલ્ય જીવન એક આદર્શ રૂપ દિવ્ય જીવન બન્યા વિના રહે નહિ. જેના જીવનનો એક જ સિદ્ધાન્ત કિવા મુદ્રાલેખ છે કે-પ્રાણોની આહુતિ અર્પવી, કિન્તુ જેની પ્રતિજ્ઞા સ્વીકારી અથવા જેનો નિયમ લીધો તેનો ભંગ ન જ કરવો, પણ યથાયોગ્ય એનું પાલન કરવું, ભલે પછી એ ખાતર સર્વસ્વની ક્નાગીરી સ્વીકારવી પડે, ગજબનાક ખુવારી વેઠવી પડે અથવા તો અગ્નિમાં પ્રવેશવું પડે, તથાપિ અંગીકૃત તે તે પૂજન સેવનાદિ વિષયક નિયમોનું તો નિરવ પાલન કરવું. આવા મહાનુભાગો પરિણામે દિવ્ય વિભૂતિ રૂપ બને તેમાં શંકા ન જ હોય તથા તેવા ભાગ્યવંતોનું જ માનવજીવન અણમોલું અને આદર્શભૂત છે, એમ માની શકાય.
જે કે વિકટ સંકટોની કાતીલ સંકડામણો કે અથડામણો અથવા ભયંકર મુશીબતોના કારમાં અને કાળા કહેર વર્તાવતા આન્દોલનો હામે નક્કર ટક્કર ઝીલવી, તે સુકર નથી કિન્તુ દુર છે. છતાંય તે વિના વિજ્ઞજય શક્ય નથી અને એના વિના તે તે પૂજન-સેવનાદિ સાધનોનીચ આરાધના શક્ય નથી તેમજ તે વિના મુખ્ય ધન્ની અને માનવજીવનની અમૂલ્યતાની પણ સંભાવના શક્ય નથી.
આથી જે માનવજીવન દિવ્ય જીવન બનાવવાની તમન્ના હોય, તો તે તે નિયમોથી જીવન નિયમિત કરવાની જરૂર છે અને