________________
૩૧૬
ચોદ ગુણસ્થાનક ભાગ-૩
-
-
-
-
-
-
-
-
-
-
-
- -
-
-
- -
-
-
તેનાથી સંખ્યાના પલ્યોપમ સ્થિતિ સત્તા ઘટે ત્યારે પાંચમાં ગુણસ્થાનકનો પરિણામ પ્રાપ્ત થાય છે તેનાથી સંખ્યાતા સાગરોપમ જેટલી સ્થિતિ સત્તા સાતે કર્મોની ઓછી થાય ત્યારે જીવને પ્રમત્ત સર્વવિરતિ ગુણસ્થાનકનો પરિણામ પ્રાપ્ત થઇ શકે છે.
સાતમું અપ્રમત્ત સર્વવિરતિ ગુણસ્થાનક
છઠ્ઠા ગુણસ્થાનકમાં રહેલા જીવોને સાતે કર્મોની સ્થિતિ સત્તા જેટલી હોય છે તેનાથી સંખ્યાતા સાગરોપમ જેટલી સ્થિતિ સત્તા ઓછી થાય ત્યારે જીવને સાતમા ગુણસ્થાનકનો પરિણામ પ્રાપ્ત થાય છે.
છઠ્ઠા ગુણસ્થાનકમાં રહીને જીવ વિશુધ્ધ અધ્યવસાયને પ્રાપ્ત કરતો સંજ્વલન ક્રોધ-માન-માયા અને લોભ કષાયોને મંદ કરતો કરતો સંયમની વિચારણામાં-સ્વાધ્યાયમાં સ્થિર થતો થતો જ્યારે એકાકાર પરિણામ વાળો બને એટલે કે જેટલું જાણે છે એટલું આદરે છે અને એટલાનું પાલન કરે છે. અર્થાત્ જ્ઞાનદર્શન-ચારિત્રના પરિણામની એકાકારતા શ્રધ્ધા-સ્થિરતા (વૈરાગ્યતા) અને આચરણા એક સરખા પરિણામવાળી બને ત્યારે જીવ અપ્રમત્ત સર્વવિરતિગુણસ્થાનકવાળો કહેવાય છે.
જ્યારે જીવને આ ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે ત્યારે આ જીવને કોઇપણ ક્રિયા કરવી-સ્તવના કરવી-ભગવાનનું નામ સ્મરણ યાદ કરવું-વ્રત-નિયમ પચ્ચકખાણ કરવા તેમજ સાધુપણાની જે ક્રિયાઓ કહેલી છે પ્રતિક્રમણ કરવું-વૈયાવચ્ચ કરવી ઇત્યાદિ
વ્યવહાર જન્ય કોઇ ક્રિયા કરવાની હોતી નથી માત્ર જે વિચારધારાની પરિણતિ પેદા થયેલ છે તે પરિણતિની વિચારણામાંજ સ્થિર રહીને ભગવાનના ગુણગાનની જે અનુભૂતિ પેદા થઇ એ