Book Title: Matrubhakta Mahavir
Author(s): Jinchandra Muni
Publisher: Prerna Prakashan

View full book text
Previous | Next

Page 9
________________ જ્યાં સુધી આત્મા દેહની ભૂમિકાએ, ઈન્દ્રિયોની ભૂમિકાએ, સ્થૂલ પદાર્થોની ભૂમિકાએ કે સ્થૂલ જગતના ખ્યાલોની અંદર અટવાયેલો છે, બહારના બાહ્ય જગતની સાથે એ બંધાયેલો છે ત્યાં સુધી એ આત્મા બહિરાત્મા કહેવાય છે. ક્યારેક એ જ આત્માને એ ખ્યાલ આવે છે કે “આ દેહધારી, આ નામધારી, આ રૂપધારી જે બાહ્ય વ્યક્તિત્વ છે તે હું નથી. હું તો એનાથી કોઈક જુદું જ તત્ત્વ છું. મારે મારા આત્માને નિર્મળ કરવો છે. અને એ જીવ બહારના જગતથી થોડોક પાછો વળીને આંતરજગત તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે, આત્માના ગુણોનો વિકાસ કરવાનો પ્રારંભ કરે છે અને સાધનાના માર્ગે એ જ્યારે ડગ માંડે છે ત્યારે એ જ બહિરાત્મા હવે અંતરાત્મા કહેવાય છે. કારણ કે એ આત્મા અંદરમાં વળ્યો છે, અંતર્મુખ બન્યો છે. અને એ રીતે અંતર્મુખ બનેલો એ આત્મા સાધના કરતાં કરતાં જ્યારે પૂર્ણતાએ પહોંચે છે અને પોતાને લાગેલાં કર્મનાં બંધનો, વાસનાનાં બંધનો, કુસંસ્કારોનાં બંધનો આ તમામ આવરણોને ભેદીને, આત્મા પોતાના પૂર્ણ સ્વરૂપને, શુધ્ધ સ્વરૂપને, જ્યારે પૂર્ણતાથી પ્રાપ્ત કરી લે છે ત્યારે એ જ આત્મા પરમાત્મા કહેવાય છે. આમ આત્માની જે આ ત્રણ ભૂમિકાઓ છે એમાં કોઈપણ આત્મા બહિરાત્મામાંથી અંતરાત્મા બને અને અંતરાત્મામાંથી પરમાત્મા થવાના માર્ગે આગળ વધે તો એ આત્મા પરમાત્મા બની શકે છે. ૪

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70