Book Title: Karmstav Dwitiya Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Shahibaug Girdharnagar Jain S M P Sangh

View full book text
Previous | Next

Page 213
________________ જ ક્ષાયિકસમ્યકત્વને ૪થી૭ ગુણઠાણે ઉત્તરપ્રકૃત્તિની સત્તા : ક્ષાયિક સમ્યગ્દષ્ટિની અપેક્ષાએ જ્ઞા. દ. વે. મો. આ. ના. ગો. અં. કુલ. અનેક જીવની અપેક્ષાએ [ પ ૯ ૨ ૨૧ ૪૫ ૯૩ ૨ ૫ ૧૪૧ બદ્ધાયુ એકજીવની અપેક્ષાએ | ૫ ૯ ૨ ૨૧ ૨ ૯૩ ૨ ૫ ૧૩૯ અબદ્ધાયુ એક જીવની અપેક્ષાએ ૫ ૯ ૨ ૨૧ ૯૩ ૨ ૫ ૧૩૮ બદ્ધા, જિનનામ વિના ૯ ૨ ૨૧ ૯૨ ૨ ૨ ૧૩૮ અબદ્ધાયુ જિનનામ વિના ૫ ૯ ૨ ૨૧ ૧ ( ૯૨ ૨ ૨ ૧૩૭ ૯૨ બદ્ધાયુ આહાઈ૪ વિના ૫ ૯ ૨ ૨૧ ૮૯ ૨ ૫ ૧૩૫ અબદ્ધાયુ આહાઈ૪ વિના ૫ ૯ ૨ ૨૧ ૧ ૮૯ ૨ ૫ ૧૩૪ બદ્ધાયુ જિન+આહા૦૪ વિના ૫ ૯ ૨ ૨૧ ૨ ૮૮ ૨ ૫ ૧૩૪ અબદ્ધાયુ જિન+આહાઈ૪ વિના ૫ ૯ ૨ ૨૧ ૧ ૮૮ ૨ ૫ ૧૩૩ ૪ થી ૭ ગુણઠાણે ૧૪૭ વિના ૧૩૩ થી ૧૪૮ સુધીના કુલ ૧૫ સત્તાસ્થાનો છે. ૧૩. અવિરતિમાં આહા૦૪ની સંપૂર્ણ ઉત્કલના થયા પછી જ સમોની સંપૂર્ણ ઉઠ્ઠલના થાય છે એટલે જે જીવ અપ્રમત્તગુણઠાણે આહારકદ્ધિકને બાંધીને, ત્યાંથી પડતો પડતો ત્રીજે ગુણઠાણે આવી જાય છે, તેને સત્તામાં મોહનીયની-૨૮ અને નામકર્મની ૯૨ પ્રકૃતિ હોય છે અને જે જીવે આહારકશ્વિક બાંધેલું ન હોય, તે જીવ ત્રીજે ગુણઠાણે આવી જાય, તો તેને સત્તામાં મોહનીયની ૨૮ અને નામકર્મની ૮૮ પ્રકૃતિ હોય છે. ૧૪. સંજ્ઞીપંચેન્દ્રિય પર્યાપ્તો ચારે આયુષ્યમાંનું કોઈપણ આયુષ્ય બાંધ્યા પછી તે આયુષ્યની સત્તા હોતે છતે ઉપશમસમ્યત્વ અને ક્ષયોપશમસમ્યક્તને પ્રાપ્ત કરી શકે છે. એટલે બદ્ધાયુપથમિક કે બદ્ધાયુક્ષાયોપથમિકને સત્તામાં બે આયુષ્ય હોય છે અને અબદ્ધાયુ ઉપશમસમ્યકત્વીને કે ક્ષયોપશમસમ્યક્વીને સત્તામાં એક જ આયુષ્ય હોય છે, તેમજ અનેકજીવની અપેક્ષાએ ૪ આયુષ્યની સત્તા પણ ગણાય છે. ૧૫. કોઈપણ મનુષ્ય, દેવ-નરક કે યુગલિક તિર્યંચ-મનુષ્યનું આયુષ્ય બાંધ્યા પછી તે આયુષ્યની સત્તા હોતે છતે ક્ષાયિકસમ્યકત્વ પામી શકે છે. એટલે બદ્ધાયુ ક્ષાયિકસમ્યકત્વીને સત્તામાં બે આયુષ્ય હોય છે. અબદ્ધાયુ ક્ષાયિકસમ્યકત્વીને સત્તામાં એક જ આયુષ્ય હોય છે અને અનેક જીવની અપેક્ષાએ સત્તામાં ૪ આયુષ્ય પણ ગણાય છે. ૧૬. ક્ષયોપશમસમ્યગદૃષ્ટિને સત્તામાં ૨૮, ૨૪, ૨૩, ૨૨, પ્રકૃતિ હોય છે. ક્ષયોપશમસમ્યકત્વી જ્યાં સુધી અનંતાનુબંધીનો ક્ષય ન કરે ત્યાં સુધી ૨૮ની સત્તા હોય છે. અનંતાનુબંધી ૪ નો ક્ષય કર્યા પછી સત્તામાં ૨૪ હોય છે. ત્યારબાદ તે દર્શનત્રિકનો ક્ષય કરવાની શરૂઆત કરે છે ત્યારે સૌ પ્રથમ મિથ્યાત્વમોહનીયનો ક્ષય થાય છે, ત્યારે તેને સત્તામાં ૨૩ પ્રકૃતિ રહે છે. ત્યારપછી મિશ્રમોહનીયનો ક્ષય થાય છે ત્યારે તેને સત્તામાં ૨૨ પ્રકૃતિ રહે છે. પછી સ0મોડનો ક્ષય થાય છે ત્યારે તેને ક્ષાયિકસમ્યકત્વ પ્રાપ્ત થાય છે. એટલે ક્ષાયિકસમ્યક્વીને સત્તામાં ૨૧ પ્રકૃતિ હોય છે. (૨૦૯

Loading...

Page Navigation
1 ... 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280