Book Title: Karmstav Dwitiya Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Shahibaug Girdharnagar Jain S M P Sangh

View full book text
Previous | Next

Page 250
________________ જવાબ :- નિવૃત્તિગુણસ્થાનક અનિવૃત્તિગુણસ્થાનક ૧. એકીસાથે પ્રવેશ કરનારા સર્વ ૧. એકીસાથે પ્રવેશ કરનારા સર્વ જીવોના અધ્યવસાયની વિશુદ્ધિમાં જીવોના અધ્યવસાયની વિશુદ્ધિ તરતમતા હોય છે. સરખી હોય છે. ૨. અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ ૨. અનિવૃત્તિગુણઠાણાના અંતર્મુહૂર્તના અધ્યવસાયસ્થાનો હોય છે. જેટલા સમય થાય તેટલા અધ્યવસાયસ્થાનો હોય છે. ૩. અધ્યવસાયની આકૃતિ વિષમ ૩. અધ્યવસાયની આકૃતિ મોતીની ચતુરસ બને છે. માળાની શેર જેવી હોય છે. ૪. તિર્યમુખી અને ઉર્ધ્વમુખી ૪. માત્ર ઉર્ધ્વમુખી વિશુદ્ધિ જ હોય વિશુદ્ધિ હોય છે.. ૬. અનિવૃત્તિગુણઠાણાની અપેક્ષાએ ૬. નિવૃત્તિગુણઠાણાની અપેક્ષાએ અનંતગુણહીન વિશુદ્ધિ હોય છે. અનંતગુણી વિશુદ્ધિ હોય છે. પ્રશ્ન : (૬૩) ઉપશાંતકષાયવીતરાગછઘDગુણસ્થાનક અને ક્ષીણમોહકષાયવીતરાગછઘસ્થગુણસ્થાનકના વિશેષણની સાર્થકતા જણાવો. જવાબ :- જે જીવો જ્ઞાનાવરણીયાદિ ઘાતકર્મના ઉદયવાળા હોય છે, તે “છદ્મસ્થ” કહેવાય છે. જો ૧૧મા ગુણસ્થાનકને “છદ્મસ્થગુણસ્થાનક” કહેવામાં આવે, તો... નવમા-દશમાં ગુણઠાણાવાળા જીવો છદ્મસ્થ હોવાથી, તેમાં નવમા-દશમાં ગુણઠાણાનો સમાવેશ થઈ જાય છે. એટલે તેનાથી ૧૧માં ગુણઠાણાને જુદુ પાડવા માટે “વીતરાગ” વિશેષણ મૂક્યું છે. કારણકે ૧૦માં ગુણઠાણા સુધીના જીવો છદ્મસ્થ છે પણ રાગી છે અને ૧૧મા ગુણઠાણામાં રહેલા જીવો છબસ્થ છે પણ વીતરાગી છે. હવે જો ૧૧મા ગુણઠાણાને “વીતરાગછઘDગુણસ્થાનક” કહેવામાં આવે, તો..... ૧૨માં ગુણઠાણામાં રહેલા જીવો પણ વીતરાગછદ્મસ્થ છે. તેથી તેમાં ૧૨માં ગુણઠાણાનો સમાવેશ થઈ જાય છે. એટલે ૧૨માં ગુણઠાણાથી ૧૧માં ગુણઠાણાને જુદુ પાડવા માટે “ઉપશાંતકષાય” વિશેષણ મૂક્યું છે. કારણકે ૧૨મા ગુણઠાણાવાળો જીવો વીતરાગછમસ્થ છે. પણ ક્ષીણકષાયી છે ઉપશાંતકષાયી નથી. (૨૪૬

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280