Book Title: Karmstav Dwitiya Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Shahibaug Girdharnagar Jain S M P Sangh

View full book text
Previous | Next

Page 223
________________ પ્રશ્નોત્તરી છે પ્રશ્ન : (૧) કર્મવિપાક પછી કર્મસ્તવ કેમ કહ્યો ? પહેલા કર્મસ્તવ કહીને, પછી કર્મવિપાક કહે તો શું વાંધો? જવાબ :- અનાદિકાળથી સંસારસમુદ્રમાં પરિભ્રમણ કરી રહેલા જીવો દુઃખથી કંટાળી ગયેલા હોવાથી, દુઃખમુક્તિ અથવા શાશ્વતસુખની પ્રાપ્તિના ઉપાયો શોધતા જ હોય છે. એમાં પણ કર્મવિપાકથી જીવ કયા કયા કર્મોદ્વારા કેવા કેવા પ્રકારનાં દુ:ખને અનુભવે છે. એ જાણ્યા કે સાંભળ્યા પછી સ્વાભાવિક જિજ્ઞાસા થાય કે કર્મક્ષયનો ઉપાય શું છે ? એટલે કર્મવિપાક પછી સકલકર્મક્ષયની વિધિને બતાવનારા કર્મસ્તવની આવશ્યકતા ઉભી રહે છે. એટલે શાસ્ત્રકારભગવંતોએ કર્મવિપાક પછી કર્મતવ કહ્યો છે. | કર્મવિપાકથી બંધને યોગ્ય ૧૨૦, ઉદય-ઉદીરણાને યોગ્ય-૧૨૨ અને સત્તાને યોગ્ય ૧૪૮ કે ૧૫૮ કર્મપ્રકૃતિનું સ્વરૂપ જાણ્યા પછી કર્મસ્તવથી ક્યા ગુણઠાણે કેટલી કર્મપ્રકૃતિ બંધાય છે? કયા ગુણઠાણે કેટલી કર્મપ્રકૃતિની ઉદય-ઉદીરણા હોય છે? અને કયા ગુણઠાણે કેટલી પ્રકૃતિ સત્તામાં હોય છે એનો બોધ સહેલાઈથી થઈ શકે છે. એટલે ગ્રન્થકારભગવંતે સૌ પ્રથમ કર્મસ્તવ ન કહેતા કર્મવિપાક કહ્યો છે. પ્રશ્ન : (૨) પ્રસ્તુતગ્રન્થના નામની સાર્થકતા જણાવો. જવાબ :- આ ગ્રન્થમાં કયા ગુણઠાણે કઈ કઈ કર્મપ્રકૃતિનો બંધ, ઉદય, ઉદીરણા અને સત્તાનો ક્ષય થાય છે? એ સકલકર્મક્ષયની વિધિ ગ્રન્થકાર ભગવંત જાણે મહાવીરસ્વામીના અપાયાપગમાતિશયગુણની સ્તુતિ (સ્તવના) કરતાં કરતાં આપણને ન બતાવી રહ્યા હોય! એ રીતે, ગ્રન્થની રચના કરી છે. એટલે આ ગ્રન્થનું નામ “કર્મસ્તવ” છે. પ્રશ્ન : (૩) ગ્રન્થની શરૂઆતમાં જ અનુબંધ ચતુષ્ટય કેમ કહ્યું ? કબાબ - અનુબંધ = હેતુ = કારણ. અનુબંધચતુષ્ટય = ચાર કારણનો સમૂહ. ગ્રન્થરચનારૂપ કાર્યમાં કારણભૂત છે (૧) વિષય, (૨) પ્રયોજન, (૩) સંબંધ અને (૪) અધિકારી છે, તે અનુબંધચતુષ્ટય કહેવાય. (૨૧૯

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280