Book Title: Karmgranth 6 Prashnottari Part 01
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 23
________________ આશ્રયીને અગ્યારમા ગુણસ્થાનક સુધી હોય છે જયારે અત્રે ક્ષપક શ્રેણીમાં બારમા ગુણસ્થાકના ઉપાસ્ય (દ્ધિચરમ) સમય સુધી કહેલ છે તે મતાંતર જાણવો. ૯૩. દર્શનાવરણીય કર્મના સત્તાસ્થાનો કેટલા હોય? કયા? ઉ ત્રણ સત્તાસ્થાનો હોય ૧. નવપ્રકૃતિનું, ર.છ પ્રકૃતિનું, ૩ ચાર પ્રકૃતિનું જાણવું. દર્શનાવરણીયનું નવ પ્રકૃતિનું સત્તાસ્થાન કેટલા ગુણસ્થાનક સુધી હોય? શાથી? ઉપશમ શ્રેણીવાળા જીવોને આશ્રયીને નવ પ્રકૃતિનું સત્તા સ્થાન ૧ થી ૧૧ ગુણસ્થાનક સુધી હોય છે. જયારે ક્ષેપક શ્રેણીવાળા જીવોને આશ્રયી ને ૧ થી નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે થીણધ્ધી ત્રિકનો અંત ન થાય ત્યાં સુધી હોય છે. દર્શનાવરણીયનું છ પ્રકૃતિનું સત્તાસ્થાન કેટલા ગુણસ્થાનકમાં હોય છે?શાથી? ઉ ક્ષપકશ્રેણીવાળા જીવોને આશ્રયીને નવમાગુણસ્થાનકના બીજા ભાગથી શરૂ કરી બારમાં ગુણસ્થાનકના ઉપાજ્ય (દ્વિચરમ)સમય સુધી હોય ૯૫. ઉ ૯૬. દર્શનાવરણીય કર્મનું ચાર પ્રકૃતિનું સત્તાસ્થાન કેટલા ગુણસ્થાનકમાં હોય? ક્ષપકશ્રેણી આથી બારમાના ઉપાજ્ય સમયે નિદ્રા બેનો અંત થતાં બારમા ગુણસ્થાનકના અંત સમયે સત્તાસ્થાન હોય છે. ૯૭. દર્શનાવરણીયના ચૌદ જીવ ભેદમાં કેટલા ઉદય સ્થાનો હોય? કયા? ઉ ચૌદે ચૌદ જીવ ભેદમાં બે ઉદય સ્થાન હોય છે ૧. ચાર પ્રકૃતિનું ૨. પાંચ પ્રકૃતિનું ૯૮. એકથી તેર જીવ ભેદમાં દર્શનાવરણીયનાં સત્તાસ્થાનો કેટલા હોય? કયા? ઉ એક સત્તા સ્થાન હોય ૧. નવ પ્રકૃતિનું ૯૯. સન્ની પર્યાપ્તાજીવમાં દર્શનાવરણયનાં સત્તા સ્થાનો કેટલા હોય ? ૨૨

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98