Book Title: Kaccha Vagadna Karndharo
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 57
________________ (૧૨) જેસલમેર બિરાજમાન (વિ.સં. ૨૦૫૪) પ્રાચીનશાસ્ત્ર સંશોધક, પરમ વિદ્વાન્ પૂજ્ય મુનિ શ્રી જંબૂવિજયજી મ.એ લખ્યું છે : ‘કચ્છ-વાગડના ઓસવાળો પર એમનો ઘણો મોટો ઉપકાર છે. ઓસવાળોને એમણે ધર્મ સંસ્કાર આપીને ધર્મ માર્ગે જોડ્યા છે. એમની સાથે મારો અંગત પરિચય ન હોવા છતાં આટલી વાત હું બરાબર જાણું છું.” (૧૦) અમદાવાદ-કૃષ્ણનગર જયાનંદ સોસાયટીમાં રહેલા સા. ચન્દ્રયશાશ્રીજી મ.એ પૂજયશ્રીનો અનુભવ લખતાં જણાવ્યું : પૂજયશ્રી વચનસિદ્ધ મહાપુરુષ હતા. એક દિવસ અમે વંદન કરવા ગયાં. અમારી સાથે સા. ચન્દ્રસેનાશ્રીજીને જોતાં પૂજ્યશ્રીએ તરત જ પૂછ્યું : “કેમ ગઇ કાલે તમે વંદન કરવા કેમ નહોતા આવ્યાં ?' ‘સાહેબજી ! ગઇ કાલે બહુ જ ઉલ્ટીઓ થતી હતી, એટલે આવી શકાય તેમ નહોતું.” એમ ? લો, આ ગોળી. ઉલ્ટી મટી જશે.’ ખરેખર, એ ગોળી લેતાં જ ઉલ્ટી ગાયબ થઇ ગઇ. ખરેખર તો એ ગોળી સંશમની (તાવ માટેની) હતી, પણ શ્રદ્ધાપૂર્વક લેતાં કામ થઇ ગયું. આવી હતી પૂજયશ્રીની વચન-સિદ્ધિ ! (૧૧) મોરબીમાં ચાતુર્માસ બિરાજમાન (વિ.સં. ૨૦૫૪) સા. ચન્દ્રલતાશ્રીજીએ લખ્યું : એક વખત અમે પૂજયશ્રીને વંદન કરીને પચ્ચક્ખાણ લેતા હતાં. પચ્ચખાણ આપતા ‘પચ્ચખાઇ’ શબ્દ આવતાં પૂજયશ્રી અટક્યા ને કહ્યું: ‘પચ્ચકખાઈ આવે ત્યારે ‘પચ્ચકખામિકેમ બોલતા નથી? પચ્ચક્ખાણ ભાષ્ય ભણ્યા છો ને ! એ ખાલી ભણવાનું છે કે તે મુજબ આચરવાનું છે ? ‘પચ્ચકખાઇ’ વખતે ‘પચ્ચકખામિ’ અને ‘વોસિરાઇ’ વખતે ‘વોસિરામિ’ બોલવાનું હોય. મુખ્ય વાત આપણા ઉપયોગની છે. નાની-નાની બાબતમાં પણ ઉપયોગ હોય તો મોટી બાબત બની જાય છે ને મોટી બાબતમાં પણ ઉપયોગ ન હોય તો નાની બાબત બની જાય છે. શ્રી જૈન શાસનમાં ઉપયોગની – જાગૃતિની ખૂબ જ મહત્તા છે. આપણે રોજ સવારે ઉપયોગનો કાઉસ્સગ્ન કરીને પછી જ દૈનિક તમામ ક્રિયાઓ શરૂ કરીએ છીએ ને !' પૂજયશ્રીની સચોટ મીઠી શિખામણ સાંભળીને અમે નત મસ્તક બની ગયાં. (૧૩) વિ.સં. ૨૦૫૪, પાટણ ચાતુર્માસ પહેલાં સા. સંયમપૂર્ણાશ્રીજીએ લખ્યું છે : વિ.સં. ૨૦૧૧માં પૂજ્યશ્રી મનફરા ચાતુર્માસ બિરાજમાન હતા ત્યારે હું નાની ઉંમરની હતી. ખેતી વાડીના કામમાં જ અમે એવા ડૂબેલા રહેતા કે ધર્મ માટે સમય જ ન મળે. વળી, એકડો પણ ન આવડે એવા અમે નિરક્ષર, મારા સસરા લધાભાઇ ધર્મ પ્રત્યેની ઘણી જ લાગણીવાળા હતા. પૂજય દાદા શ્રી જીતવિ.મ. વિ.સં. ૧૯૭૬માં છેલ્લીવાર મનફરા પધારેલા ત્યારે ત્યાંથી પલાંસવા જતી વખતે ડોલીથી ગયેલા ને મનફરાના કેટલાક મજબૂત માણસો એ ડોલીને ઊંચકીને લઇ ગયા હતા, તેમાં મારા સંસારી સસરા (લધા વીરા દેઢિયા) પણ હતા. ચોથા દિવસે પલાંસવા પહોંચ્યા હતા. | પિયર-ભરૂડીયામાં તો ખાસ કાંઇ ધર્મ સંસ્કાર નહોતા મળ્યા. મળે તેવા સંયોગો પણ નહોતા, પણ અહીં મનફરા ધર્મનું વાતાવરણ સારું હતું. એ વાતાવરણથી હું પણ કંઇક રંગાઇ. આથી જ્યારે જ્યારે સમય મળે ત્યારે ત્યારે હું પૂજ્યશ્રીના વ્યાખ્યાનમાં પહોંચી જતી. પૂજ્યશ્રીનું વ્યાખ્યાન એટલે ? જાણે દ્રાક્ષનો રસ ! એટલી મધુરતા કે ઉઠવાનું મન જ ન થાય. એમનું વ્યાખ્યાન એટલું મધુર કે સંસાર કડવો લાગવા માંડે !! કેવું આશ્ચર્ય ! મને પણ સંસાર ત્યારથી જ કડવો-અસાર લાગવા માંડ્યો. સંયમ સ્વીકારવા જેવું લાગ્યું. પણ હું લાચાર હતી. એક તો લગ્નની બેડીથી જકડાયેલી હતી અને બીજું મને નવકાર સિવાય કાંઇ નહોતું આવડતું. કચ્છ વાગડના કર્ણધારો ૨ ૧૦૩ પૂ.આ. શ્રી વિ. દેવેન્દ્રસૂરીશ્વરજી મ. • ૧૦૨

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193