Book Title: Kaccha Vagadna Karndharo
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 145
________________ વાણી સાંભળવાનું સૌભાગ્ય મળ્યું. વાંકી (વિ.સં. ૨૦૫૫) તથા પાલીતાણા (વિ.સં. ૨૦૫૬) ચાતુર્માસની વાચનાઓ સાંભળવાનું સદ્ભાગ્ય મળ્યું. (જો કે, દર વખતે વાચનાઓ સાંભળવાનું મળતું ને અમે અવતરણ પણ કરતા, પરંતુ આ વખતે લખાયેલું પુસ્તકરૂપે પ્રકાશિત થયું, એ વિશેષતા હતી.) માત્ર સાંભળવાનું જ નહિ, પરંતુ તે જ વખતે અવતરણ કરવાનું અને પ્રકાશિત કરવાનું પણ સદ્ભાગ્ય મળ્યું. આજે પૂજ્યશ્રીની ગેરહાજરીમાં વિચાર આવે છે આ બધું શી રીતે થઇ ગયું ? આમ તો અમારા છેલ્લા ૧૬ વર્ષોથી પ્રાયઃ અલગ ચાતુર્માસ થતા રહે છે. તો પણ વાંકી-પાલીતાણા ચાતુર્માસ સાથે થવા, વાચનાઓનું અવતરણ થવું, પ્રકાશિત થવું, આ બધું જલ્દી-જલ્દી શી રીતે થઇ ગયું ? જાણે કોઇ અજ્ઞાત શક્તિએ અમારી પાસેથી આ કામ કરાવી લીધું. પૂજયશ્રીની ભાષામાં કહીએ તો પ્રભુએ આ કામ કરાવી લીધું. પૂજ્યશ્રી દરેક વાતમાં પ્રભુને જ આગળ રાખતા હતા. એ વખતે તો અમને કલ્પના સુદ્ધાં ન હતી કે પૂજ્યશ્રીની આ બધી અંતિમ દેશનાઓ છે. કલ્પના કરીએ પણ શી રીતે ? કારણ કે પૂજયશ્રીની એટલી ર્તિ હતી, મુખ પર એટલું તેજ હતું કે મૃત્યુ તો શું ઘડપણ પણ એમની પાસે આવતાં ડરતું હોય, તેમ અમને લાગતું હતું. સામાન્ય માણસની ઉંમર વધતી જાય તેમ તેમ ચહેરો ચમક વગરનો બનતો જાય છે, કરચલીઓ વધવા લાગે છે, પરંતુ અમે પૂજયશ્રીના ચહેરા પર વધતી ચમકને જોઈ રહ્યા હતા. આટલી ચમક, આટલી સ્કૂર્તિ હોય તો એમ કેમ માની લેવાય કે પૂજ્યશ્રી હવે થોડા જ સમયના મહેમાન છે ? પાલીતાણા ચાતુર્માસ પછી માગ.સુ.૫ (વિ.સં. ૨૦૫૭)ના ત્રણ પદવીઓ તથા ૧૪ દીક્ષાઓ થઈ. એના બીજા જ દિવસે પૂજ્યશ્રીનો વિહાર થયો. ત્યારે અમને ક્યાં ખ્યાલ હતો કે પૂજ્યશ્રીના આ અંતિમ દર્શન છે ? પૂજયશ્રીએ અંતિમ ચાતુર્માસ પોતાની જન્મભૂમિ ફલોદીમાં કર્યું. છેલ્લાં બે વર્ષોમાં પૂજ્યશ્રીએ એવાં-એવાં કાર્યો કર્યા, જાણે પૂજયશ્રીએ પોતાના મૃત્યુની પૂર્વ તૈયારી કરી લીધી હોય ! પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૨૭૮ કચ્છના વાંકી તીર્થમાં ચાતુર્માસ કરવું, આચાર્ય-પંન્યાસ-ગણિ આદિ પદ પ્રદાન કરવું, પાલીતાણામાં ચાતુર્માસ કરવું, ચાતુર્માસમાં લગભગ સંપૂર્ણ સાધુ-સાધ્વી સમુદાયને સાથે રાખવો, બધા સાધુસાધ્વીજીઓને યોગોદ્દહન કરાવવા, આ બધાં એવાં કાર્યો હતાં જેને આપણે મૃત્યુની પૂર્વ તૈયારી માની શકીએ. * પૂજયશ્રીનું મહાસમાધિપૂર્ણ મૃત્યુ : પૂજયશ્રીને મૃત્યુના ૭-૮ દિવસ પહેલાં શરદી-તાવ થઇ ગયાં હતાં, કે જે સામાન્યથી તેઓને થયા કરતું હતું. તે વખતે ભયંકર ઠંડી હતી. એક વાર તો ઠંડી શૂન્ય ડિગ્રી સુધી પણ પહોંચી ગઇ હતી. ત્યારે કોઇને આવી કલ્પના પણ ન આવી કે આ ઠંડી-તાવ પૂજયશ્રી માટે જીવલેણ બનશે. સામાન્ય આયુર્વેદિક ઉપચાર કર્યા. મહા.સુ.૧ ના દિવસે પૂજયશ્રીએ રાજસ્થાનના કેશવણા ગામમાં (જાલોરથી ૧૦ કિ.મી. દૂર) પ્રવેશ કર્યો. માંગલિક વ્યાખ્યાન પણ આપ્યું. આ પૂજ્યશ્રીનું અંતિમ વ્યાખ્યાન હતું. (પૂજયશ્રીની અંતિમ વાચના રમણિયા ગામમાં પોષ વ.૬ ના થઇ હતી. રમણિયા ગામના લાલચંદજી મુણોતે (હાલ મદ્રાસ) ત્યારે આખા ગામમાં કહેવડાવ્યું હતું કે : આજે પ્રભુની દેશના છે માટે બધા જરૂર-જરૂર પધારજો ... પધારજો... તે દિવસે પૂજયશ્રીએ વાચનામાં કહ્યું હતું કે લલિત વિસ્તરા ગ્રંથનું અધ્યયન-મનન જરૂર કરવા જેવું છે. જો સંસ્કૃતમાં તમે ન સમજી શકો તો મારા ગુજરાતી પુસ્તક (કહે કલાપૂર્ણસૂરિ)ને તો જરૂર જરૂર વાંચજો ) તેના પછી ફરીથી એક કલાક સુધી મંદિરમાં પ્રભુ ભક્તિ કરીને પછી ઉપાશ્રયમાં ઉપર જ રહ્યા. પૂજ્યશ્રીને શ્વાસની તકલીફ વધતી જતી હતી. છેલ્લા બે-ત્રણ દિવસ તો શ્વાસની એટલી તકલીફ થઇ ગઇ કે ઊંઘ પણ નહોતી આવતી. હંમેશાં બાજુમાં જ સંથારો કરનાર પૂ.પં. કલ્પતરુવિજયજી પૂજયશ્રીના સ્વાથ્યની ચિંતાના કારણે ઊંઘી શકતા ન હતા. પણ ડૉકટરોને આમાં કોઇ ગંભીર બિમારીનાં ચિહ્ન દેખાયાં નહીં. જાલોરના પ્રસિદ્ધ ડોકટર કચ્છ વાગડના કર્ણધારો + ૨૭૯

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193