Book Title: Kaccha Vagadna Karndharo
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 85
________________ પૂ.પં.શ્રી હર્ષવિજયજી, સરળમૂર્તિ પૂ. પ્રદ્યોતનવિ., વયોવૃદ્ધ સેવાભાવી શ્રી ભાવવિજયજી (આ ભાવવિ. જો કે શિષ્ય નહોતા, ક્ષમાભદ્રસૂરિજીના પરિવારના હતા, વડીલ હતા, છતાં પૂ.પં.મ.ના પગ રોજ દબાવતા. પોતે ૮૦ વર્ષના હોવા છતાંય એકાસણું કરતા પહેલાં દરરોજ પોતાના પાત્રમાંથી બધાની ભક્તિ કરતા.) ઉદાર હૃદયી વજસેનવિ., વિદ્વદ્રર્ય ધુરંધરવિ., નવકારપ્રેમી મહાયશવિ., વગેરે તેમના શિષ્યો રત્ન જેવા હતા. આમાંના ઘણાખરાએ વર્ધમાન તપની ૧૦૮ ઓળી કરેલી હતી. પૂ.પં.મ. કોઇને દીક્ષા માટે કહેતા નહિ, છતાં એમની પાસે દીક્ષાર્થીઓ સામેથી આવતા. રાણકપુર ચૈત્રી ઓળીમાં પૂ.પં.મ. તથા પૂ.આ.શ્રી બંનેનું સંયુક્ત પ્રવચન રહેતું. લોકો ભાવવિભોર બની જતા. રોજ સવારે ભક્તામર પાઠ રહેતો. સામુદાયિક જાપ પણ રહેતો. એ વખતનાં પ્રવચનો ખૂબ જ તાત્ત્વિક હતાં. રાણકપુરમાં યુરોપ-અમેરિકા વગેરેથી આવતા વિદેશીઓ પૂ.પં.મ. વગેરે પાસે પણ આવતા. પૂ.પં.મ. તથા પૂજયશ્રી એમના પ્રશ્નોનું પણ સમાધાન આપતા.. ચૈત્ર વદ-૧ ના સા. વિજયલતાશ્રીજીની ૧૦૦મી ઓળીનું પારણું થયેલું. આ ઓળી દરમિયાન જયપુર (રાજસ્થાનની રાજધાની)થી તપાગચ્છ જૈન સંઘના કેટલાક માણસો ચાતુર્માસ માટે વિનંતી કરવા માટે આવેલા. તેમાંના એક હીરાચંદજી વૈદે વ્યાખ્યાનમાં એવી ધારદાર રજૂઆત કરી કે સૌ પીગળી ગયા. પૂ.પં.મ. એ એમને સાધુઓ આપવાનું વચન આપી દીધું. હવે જેમના ભરોસે પૂ.પં.મ. એ વચન આપેલું હતું એ સાધુ કોઇ પણ રીતે ત્યાં જવા તૈયાર ન થતાં વચન-પાલન ખાતર પૂજ્યશ્રીને વાત કરી : અમારામાંથી તો બધા સાધુઓ ગોઠવાઇ ગયા. તમારામાંના કોઇકને તૈયાર કરો. પૂજ્યશ્રીની આજ્ઞાને માન આપીને પૂ. કલાપ્રભવિ. આદિ તૈયાર થયા. પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૧૫૮ વૈ.સુદ-૧૦ ના જયપુર જવા માટે છ મહાત્માઓનો (પૂ. પ્રીતિવિ., પૂ. તરુણવિ., પૂ. કલાપ્રભવિ., પૂ. મુક્તિચન્દ્રવિ., પૂ. પૂર્ણચન્દ્રવિ., પૂ. મુનિચન્દ્રવિ.) વિહાર થયો. લુણાવા ચાતુર્માસ - પૂ.પં.મ. સાથેનું આ બીજું ચાતુર્માસ હતું . આ ચાતુર્માસમાં ઉભય પૂજયોના સંયુક્ત પ્રવચનો રહેતાં, જે જિજ્ઞાસુઓ ભારે અહોભાવથી સાંભળતા. લલિત-વિસ્તરા પર વાચના ચાલતી. આ ચાતુર્માસમાં પૂ.પં.મ.ની પ્રેરણાથી પૂ. દેવચન્દ્રજીના સ્તવનો પર તથા ધ્યાન-વિચાર પર પૂજયશ્રીએ લખવાનું શરૂ કર્યું હતું. ધ્યાન-વિચારના લખાણ વખતે ક્યારેક પૂ.પં.મ, મીઠી ટકોર પણ કરતા: તમને ધ્યાન-વિચાર પર લખવામાં તો રસ છે, પણ ‘પરસ્પરોપગ્રહો જીવાનામુ” આના પર લખવામાં રસ છે ? જીવોનો ઉપકાર યાદ આવે છે ? તમારો જન્મ પહેલા વિશ્વયુદ્ધ પછી થયોને ? પછી આવું ક્યાંથી યાદ આવે ? પ્રથમ વિશ્વયુદ્ધ પછી દુનિયામાં સ્વાર્થવૃત્તિ ખૂબ જ પ્રબળ બની ગઇ છે. એમાં તમારો દોષ નથી. કાળ જ એવો છે.” આ ટકોરને પૂજયશ્રી ઘણી વખત વાચન-વ્યાખ્યાનમાં યાદ કરતા. અમદાવાદ, તા. સુલભાશ્રીજી તથા સા. અનંતશ્રીજીની 100મી ઓળીનું પારણું થયું. દીક્ષાઓ : મહા સુદ-૩, વઢવાણ : સા. હંસપદ્માશ્રીજી (વીણાબેન, વઢવાણ), સા. હંસમાલાશ્રીજી (મૃદુલાબેન, વઢવાણ), સા. હંસદર્શિતાશ્રીજી (અરૂણાબેન, વઢવાણ), સા. હંસપ્રજ્ઞાશ્રીજી (વીરમતિબેન, વઢવાણ), સા. વિશ્વદર્શિતાશ્રીજી (નિર્મળાબેન, લુણાવા). (આ દીક્ષાના પ્રસંગે વરઘોડામાં હાથીએ નાસભાગ કરતાં બધાના જીવ પડીકે બંધાઇ ગયા હતા. સદ્ભાગ્યે કોઇકે મીઠાઇનો ટોપલો ધરી દેતાં હાથી શાંત થઇ ગયો, અનર્થ થતો રહી ગયો.) મહા સુદ-૧૩, સુરેન્દ્રનગર : મુનિ શ્રી તીર્થભદ્રવિજયજી (રોહિતભાઇ, સુરેન્દ્રનગર), સા. જિતપદ્માશ્રીજી (પુષ્પાબેન, જામનગર, કચ્છ વાગડના કર્ણધારો ૨ ૧૫૯

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193