Book Title: Kaccha Vagadna Karndharo
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 102
________________ અહીં ખરતરગચ્છીય, જિનકાન્તિસાગર-સૂરિજી, મણિપ્રભસાગરજી વગેરે પણ હતા. શૈ.સુદ-૧૩ ના દિવસે તેમની સાથે પ્રવચનો પણ થયાં હતાં. અહીં એક વખત પ્રવચનમાં પૂજ્યશ્રીના મુખેથી શબ્દો નીકળેલા : આ તીર્થ ભવિષ્યમાં શંખેશ્વર જેવું બનશે. (પૂજ્યશ્રીના એ શબ્દો આજે સાકાર બનેલા દેખાય છે.) ચૈત્ર વદ-૯ થી વૈ.સુદ-૪, આગર (એમ.પી.), અહીંના માણેકચંદભાઇને જો ઇને પૂજ્યશ્રીને પોતાના મામા માણેકચંદજીની યાદ આવતી હતી. પૂજ્યશ્રી કહેતા કે મારા સંસારી મામી આકૃતિ અને પ્રકૃતિથી બરાબર આવા જ હતા. અમારાં સંસારી મા ભમીબેનને જોઇને પૂજ્યશ્રીને પોતાની મા ખમાબેનની યાદ આવતી. મનફરામાં પ્રથમ વાર ભમીબેનને જોયાં ત્યારે એમ જ લાગેલું : અરે ! ખમાબેન અહીં ક્યાંથી ? વૈ.સુદ-૧૪, મહીદપુર, અહીં કોઇ મહાત્માને મીઠાની (કોગળા માટે) જરૂર પડતાં એક મહાત્મા પાસેથી મંગાવ્યું. મહાત્માજી તો મોટી કાચલી ભરીને મીઠું લઇ આવ્યા. આ છે અને બધા હસી પડ્યા. પૂજયશ્રીએ કહ્યું : મહાત્મન્ ! આટલું મીઠું તો કોગળા માટે ૧૫ દિવસ ચાલે. હવે આ વધેલું મીઠું ક્યાં નાખવું ? કેટલો દોષ લાગે ? હવેથી આ અંગે ખ્યાલ રાખજો - ત્યારથી અમારા ગ્રુપમાં ‘મહીદપુરનું મીઠું' એ શબ્દ પ્રસિદ્ધ થઇ ગયો. વૈ.વદ-૮ થી જેઠ સુદ-૧૧, રતલામ, નરેન્દ્ર સુરાણાની આગ્રહભરી વિનંતીથી તથા અવંતી પાર્શ્વનાથજીના આકર્ષણથી પૂજયશ્રીનું ચાતુર્માસ ઉજજૈન નક્કી થઇ ગયું હતું, પણ હવે રતલામવાળા પૂજ્યશ્રીને આગ્રહપૂર્વક વિનંતી કરી રહ્યા હતા : અમને કોઇને કોઇ મહાત્મા ચાતુર્માસ માટે આપો. પૂજ્યશ્રીએ ત્યારે પૂ. મુનિ શ્રી કીર્તિચન્દ્રવિજયજી આદિ ત્રણને રતલામ ચાતુર્માસ માટે ગોઠવવાનું નક્કી કર્યું. પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. ૧ ૧૯૨ ઉજ્જૈન ચાતુર્માસ, જેઠ વદ-૬ થી કા.વદ-૪ સુધી ચાતુર્માસાર્થે અમે ઉજજૈન રહ્યા. અમારાથી થોડેક જ દૂર ખારાકૂવામાં પૂ. દોલતસાગરજી મ.નું ચાતુર્માસ હતું. એક વખત અહીં વિજયરાજે સિંધિયા (માધવરાય સિંધિયાનાં માતૃશ્રી) પૂજયશ્રીને વંદનાર્થે આવેલાં. પૂજ્યશ્રીએ જીવદયા અંગે પ્રેરણા કરેલી, વિજયરાજે એ ત્યારે પોતાની હૈયાવરાળ કાઢતાં જણાવેલું : “fહંસા इतनी तेजी से बढ़ रही है कि उसमें क्या करना ? कुछ समझ में नहीं आता । पूरे देश में अनैतिकता-भ्रष्टाचार इत्यादि बढ़ते ही जा रहे है । पूरा देश केवल भगवान के भरोसे पर चल रहा है।" એક વખત એક સભ્ય જણાતા ભાઇ કુટુંબ સહિત પૂજયશ્રીને વંદનાર્થે આવ્યા. વંદન કરીને કહ્યું : “અમે સમેતશિખરજી જઇ રહ્યા છીએ, પણ ખીસું કપાઇ જતાં મુશ્કેલીમાં મૂકાઇ ગયા છીએ. જો અહીંથી ૮૦૦ રૂા.ની વ્યવસ્થા થઇ શકશે તો મોટો ઉપકાર ગણાશે. સમેતશિખર પહોંચ્યા પછી તો હું તરત જ મોકલાવી દઇશ. ત્યાં સુધી મુંબઇથી રકમ મંગાવી લઇશ.” - પૂજ્યશ્રીની પ્રેરણાથી કોઇ ભાઇએ ૮00 રૂા. પેલા ભાઇને આપ્યા. પેલા ભાઇ ગયા તે ગયા જ, પછી એ ૮૦૦ રૂ. કદી ન આવ્યા. ખરેખર એ સફેદ ઠગ જ હતો. પૂજયશ્રીના જીવનમાં આવા ઘણા પ્રસંગો બનેલા છે, છતાં પૂજ્યશ્રીની કરુણાની સરવાણી કદી સૂકાઇ નહોતી. પૂજયશ્રી કહેતા : ઠગ બનીને આવેલાને ન અપાવી શકાય તે બરાબર, પણ ઠગોના બહિષ્કારમાં કોઇ એક સાચાનો પણ બહિષ્કાર થઇ જાય તો ? આ ચાતુર્માસમાં ચૌદસ જેવી તિથિના દિવસોમાં પૂજયશ્રી ઉપવાસ કરીને અવંતી પાર્શ્વનાથના જિનાલયમાં (જે ૧ કિ.મી. દૂર થાય) પહોંચી જતા. ધ્યાન-કાયોત્સર્ગ ભક્તિ વગેરેમાં આખો દિવસ ગાળતા, ઠેઠ સાંજે પાછા ફરતો. કચ્છ વાગડના કણધારો ૨ ૧૯૩

Loading...

Page Navigation
1 ... 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193