Book Title: Gautamswamyashtakam Author(s): Sushilvijay Publisher: Vijaylavanyasurishiwar Gyanmandir View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મા ઉપર લાગેલી ગવની રોટી ભગવાનની વાણીથી ખરી પડી ત્યારે ઇન્દ્રભૂતિના નિર્માંળ અને સરળ આત્મા એમના શિષ્યત્વની માગણી માટે પેાકારી ઊઠચો. “ ભગવાન્ । તમારા દાસ છું. તમારી ચરણ રજથી મારા ઉદ્ધાર કરી. એ જ રીતે એમના અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામના અને ભાઈઓ સપરિવાર ભગવાન મહાવીર પાસે આવ્યા અને તેમની શ ંકાનું નિવારણ થતાં ત્રણે ભાઈએ પોતાના શિષ્ય-પરિવાર સાથે ભગવાનના શિષ્યો બન્યા. વેદવેદાંગના પારગામી એ વિદ્વાનાના હૃદયમાં જૈન દર્શનનું જ્ઞાન સહેજમાં રમી ગયું. એમણે પોતાની સમગ્ર વિદ્યા જૈન દર્શનની વિચારસરણિ તરફ વાળી. જૈન દનની સેાટીથી એમના જ્ઞાનનું તેજ વધુ ઉજ્જવળ બનવા માંડયું. જ્ઞાનના આવરણાના પડદા ધીમે ધીમે ખસવા લાગ્યા. જ્ઞાનની દિવ્ય ઝળક એમનામાં પ્રવેશ પામી. ઈંદ્રભૂતિ ગોતમ ભગવાનના પ્રથમ શિષ્ય છન્યા. ભગવાન પાસેથી ઉત્પાદ, વ્યય, ધ્રોબ્યરૂપ ત્રિપદી સાંભળી સ'પૂર્ણ દ્વાદશાંગીની તેમણે રચના કરી. તે હવે પ્રથમ ગણધર ગોતમસ્વામીના નામે લેાકેામાં વિદ્યુત બન્યા. શ્રીગોતમસ્વામી જ્ઞાનના ઉપાસક ન રહ્યા. તે પેાતાની જીવનચર્યામાં પણ જ્ઞાન તપ અને સયમ સાધનામાં અપ્રમાદી બન્યા. જીવનભર છટ્ઠ-છઠ્ઠના પારણે તપશ્ચર્યાથી તેમણે પોતાની દેહલતા સુકાવી નાખી અને એ જ તપના પ્રભાવે એમને અનેક લબ્ધિએની પ્રાપ્તિ થઈ. આજે પણ દિવાળીના દિવસે વેપારીએ શારદા–ચાપડા પૂજન કરતાં ચાપડામાં——- શ્રીગોતમસ્વામી ભગવંતની લબ્ધિ હુંજો ” એમ લખે છે. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58