________________
ઝાકળભીનાં મોતી
*** સંતે વિદાય લીધી. ધમાલિયો પુરુષ તો સંતની વાત ભૂલી ગયો, પણ એની પત્ની વિચારમાં પડી કે સંતે શા માટે એમ કહ્યું કે તમે માણસ બનજો ? શું અમે માણસ નથી ? શું અમે એમને ઢોર લાગ્યાં ? આવું કેમ કહ્યું ?
પેલી સ્ત્રીએ પુરુષને વાત કરી અને સંતના ઉપદેશનું રહસ્ય પૂછ્યું. ધમાલિયો પુરુષ પણ પળવારમાં વિચારમાં પડી ગયો. એને થયું કે અંતે આમ કેમ કહ્યું હશે ?
વર્ષો વીતી ગયાં. સંત ફરી પાછા આ શહેરમાં આવ્યા. પેલા પુરુષ અને તેની પત્ની સંતને મળવા ગયાં, અને વર્ષો પહેલાંના એમના આશીર્વાદનું રહસ્ય પૂછ્યું.
સંતે પોતાના સામાનમાંથી એક કાચ કાઢો. પેલા પુરુષને કાચ આપતાં કહ્યું, “જુઓ ! આ એક દૈવી કાચ છે. એમાં માણસ જેવો હોય તેવો બરાબર દેખાય છે. આ કાચમાં તમારા સાચા રૂપનું પ્રતિબિંબ પડશે."
ઉતાવળી સ્ત્રી પતિના હાથમાંથી કાચ ઝૂંટવીને આતુરતાથી જોવા લાગી. જેવું કાચમાં પોતાનું પ્રતિબિંબ જોયું કે છળી ઊઠી, અને ચીસ પાડીને બોલી :
“ઓય બાપ રે ! આમાં તો હું કૂતરી દેખાઉં છું. શેરીના નાકે બેસીને બીજી કૂતરીઓ સામે ઘુરકિયાં કરું છું. જોસજોસથી ભરું છું. આમતેમ ધસું છું. મને સહેજે જંપ નથી. હાય ! હાય ! શું હું કૂતરી છું ?”
અધીરા પુરુષે તરત જ કાચ છીનવી લીધો અને એમાં પોતાની જાતને જોવા લાગ્યો. તો એને ઉકરડામાં આળોટતો
* ઝાકળભીનાં મોતી ગધેડો જોવા મળ્યો.
બંનેએ કહ્યું, “હે સંત પુરુષ ! અમે તો માણસ છીએ, અને આમાં તો જાનવર દેખાય છે. આનું કારણ શું ?”
સંતે કહ્યું, “ભાઈ ! આ કાચમાં તમે જેવા છો, તેવા જ દેખાશો. તમારું બહારનું રૂપ નહિ, પણ અતરનું સૌંદર્ય આમાં પ્રગટ થાય છે. બહારથી વ્યક્તિ માણસ લાગે, પણ અંદર તો એ પશુ હોય છે.”
પતિ-પત્નીને સંતના "માણસ બનજો” એ ઉપદેશનું રહસ્ય સમજાયું.
* * *
આમ, માણસે એના સાચા સ્વરૂપની ઓળખ મેળવવી જોઈએ. બહારથી એ ભલે માણસ દેખાય છે પણ હૃદયમાં તો એ પશુઓના દુર્ગુણોને સંઘરીને જીવે છે ! એનો અંદરનો
આકાર એ જ સાચો આકાર છે.
માણસ માટે સૌથી અઘરી વસ્તુ એ માણસ બનવું તે છે. એના આત્મામાં અનેક ગુણોની સમૃદ્ધિ રહેલી છે, પણ માનવી એને ભૂલીને પશુના જેવી વૃત્તિઓથી જીવન ગાળે છે.
માનવી પોતાના માનવસ્વભાવને પ્રગટ કરવાને બદલે પશુવૃત્તિને પંપાળી-પંપાળીને ઉશ્કેરતો રહે છે. સચ્ચાઈ ગુમાવી બેઠેલો માનવી આકાર ભલે માનવીનો ધરાવતો હોય, પરંતુ એની અંદર તો અસુર વૃત્તિઓનો મેળો જામ્યો છે.
n
◆◆◆♦♦♦♦ 87 ◆◆◆◆*******