________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ઓગણીસમે.
૨૧૧
કરી. તેમાં મનથી ભંગ થાય તે ઉપવાસ, વચનથી થાય તે . બેલ અને કયાથી થાય તે વિગેયને ત્યાગ કરવાને અભિગ્રહ રાખ્યો. કહ્યું છે જે,
एका भार्या सदा यस्य त्रिधा शीलं घनागमे ।
नव्यपाणिग्रहे नियमश्चतुर्थव्रतपालने ॥ १ ॥
ચોથું વ્રત પાળવામાં જેને હમેશને માટે એકજ સ્ત્રી હતી. જે વર્ષરૂતુમાં મન વચન અને કાયા એ ત્રણ ગે કરી શીળ પાબતે હતો અને જેણે નવીન પાણિગ્રહણ કરવાનો નિયમ લીધું હતું.
ઇત્યાદિ.
કેટલેક વખત વીત્યા પછી બે પળદેવી પરલેક ગઈ ત્યારે સામંતો અને મંત્રીઓએ મળી રાજાને વિનંતી કરી કે, “હે પ્રજાવત્સલ ચૌલુક્ય કુળના આધાર, પાણિગ્રહણ કરવાના મહેવથી અમ સેવકજને ઉપર અનુગ્રહ કરે.”
તે સાંભળી રાજા બે, “આ સંસારની વૃદ્ધિના ઉપાયભૂત પાણિગ્રહના આગ્રહથી બસ થયું. હવેથી મને સર્વ વ્રત, તપ અને નિયમાદિ ક્રિયાસમૂહને સફળ કરનાર બ્રહ્મચર્ય યાજજીવ થાઓ. આગમમાં પણ કહ્યું છે કે, ને સુદ્ધવારિyળ વાળ ફાળrળ તવો નિચમારૂ અરિયાળ ગવંતરિ (જે બ્રહ્મચર્ય શુદ્ધ આચરવાથી વ્રત, દાન તપ અને નિયમ વિગેરે સફળ થાય છે.)
સામંતાદિએ કહ્યું, “હે મહારાજાધિરાજ, પટરાણી શિવાય મંગળો પ્રચાર શીરીતે થશે.? બીજા લેકની પેઠે રાજા સ્ત્રીના ઉપચારે રહિત સાંભળ્યા અગર જોયા નથી.”
૧ જેમાં દિવસમાં એક વખત સ્નેહ શિવાયનું અને મરચાં તથા ગરમ મશાલા વગરનું લખું ભોજન ખવાય એવું વ્રત.
૨ દુધ, દહીં, ઘી, ગોળ, ખાંડ અને કડાઈમાં તળેલા પદાર્થ એ છ વિગય એટલે વિકાર કરનારા પદાર્થ ગણાય છે.
For Private and Personal Use Only