Book Title: Updesh Saptati
Author(s): Punyakirtivijay
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 586
________________ ૨૪. વેષનો ત્યાગ કરેલ મનના શુદ્ધ ભાવ વડે મુનિ ભગવંતે કહેલા અનુષ્ઠાનને રાજા વગેરેથી પણ નિર્ભય એવો આ ચોર) કરતો હતો. ૨૨૭૬. ૧. સર્વ વ્યાપારોમાં મનનો વ્યાપાર મોટો છે એ પ્રમાણે) જિનેશ્વર વડે કહેવાયેલું છે. જે મનનો વ્યાપાર સાતમી નારકીમાં લઈ જાય છે અથવા મોક્ષમાં લઈ જાય છે. ર૨૭૭. ૨૫. લધુકર્મી હોવાથી ત્યારે તેને ઉજ્જવલ એવું કેવલજ્ઞાન થયું અને દેવેન્દ્રોએ તેના કેવલજ્ઞાનના મહિમાને કર્યો. ૨૨૭૮. ૨૭. હજારો પાંદડાવાળા સુવર્ણકમળને વિષે દેવતાએ આપેલ વેષને ધારણ કરનારા તે બેઠા અને તેમની આગળ ધર્મદેશના કરી. ૨૨૭૯. ૨૭. હવે રાજા ત્યાં આવ્યોં. વળી તેવા પ્રકારના દૃશ્યને જોઈને અત્યંત વિસ્મય પામ્યો. અહો ! કર્મની વિચિત્રતા છે. ૨૨૮૦. ર૮. કેવલી ભગવંતે કહ્યું. હે રાજેન્દ્ર ! સામાયિક વ્રતને જો. જેની અડધી ક્ષણમાં પણ મને લોકોત્તર ફળ પ્રાપ્ત થયું. ૨૨૮૧. ૨૯. એ પ્રમાણે રાજા વગેરેને બોધ પમાડીને અને ચોરી કરેલ સર્વને જણાવીને લોકો પર ઉપકાર કરવા માટે પૃથ્વીતલ પર વિહાર કરતા હતા. ૨૨૮૨. ૩૦. એ પ્રમાણે દળી નાંખ્યા (નાશ કર્યા) છે સઘળા કર્મો જેણે એવા તે કેસરી મુનિ ભગવંત ઘણા કાળ પર્યંત લોકોને પ્રતિબોધ કરીને જે ઉચ્ચ પદવીને પામ્યા (મોક્ષને પામ્યા) ખરેખર તે આ સામાયિક વ્રતથી પ્રાપ્ત થયેલ ફળને સજ્જન પુરુષો વિચારો. ૨૨૮૩. છે એ પ્રમાણે શ્રી ઉપદેશસપ્તતિકાના પાંચમા અધિકારમાં બારમો ઉપદેશ છે. તે ઉપદેશ સપ્તતિ ૨૮૯

Loading...

Page Navigation
1 ... 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640