Book Title: Padarth Prakash 25 Mandal Prakaranam
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ વળી બધા જ નક્ષત્રોનું આધિપત્ય ક્ષેત્ર ભેગું કરે તો 54900 અંશ આવે અને તે માપ એટલે સૂર્ય દ્વારા અહોરાત્રમાં પસાર થતું ક્ષેત્ર. 1 મુ.માં 1830 અંશ માટે 30 મુહૂર્તમાં 54900 અંશનો તાળો મળી જાય છે. હવે પ્રત્યેક મુહૂર્ત નક્ષત્ર 1835 અંશ ગતિ કરે. પ્રત્યેક મુહૂર્ત ચંદ્ર 1768 અંશ ગતિ કરે. નક્ષત્ર કરતા ચંદ્રની 67 અંશ ગતિ પ્રતિ મુહૂર્ત ઓછી છે. માટે કુલ 27 દિવસ ? સમયમાં = 54,900 અંશ ચંદ્ર પાછળ પડે અને બીજા 28 નક્ષત્રોની સાથે યોગ કરે તે આ રીતે 1 મુહૂર્તમાં 67 અંશ પાછળ પડે . 30 મુહૂર્તમાં, 67 x 30 = 2010 અંશ પાછળ પડે. આથી 27 x 2010 = 54900 અંશ આવે તે માપ નક્ષત્ર વ્યાપ્ત ક્ષેત્ર કે અહોરાત્રમાં સૂર્ય દ્વારા કપાતું અંતર છે. નક્ષત્ર એક અહોરાત્રમાં જેટલી ગતિ કરે છે તેના 67 ભાગ કરવા. હવે ચંદ્ર અને જે-તે નક્ષત્ર આ 67 ભાગમાંથી કેટલા ભાગ સુધી સાથે ગતિ કરે છે તે નક્કી કરવું. 1) અભિજીત નક્ષત્ર સમય = 9 મુ. 3 અંશ સાથે ગતિ કરી આગળ વધશે. 2) બાકીના અમુક 6 નક્ષત્રો અર્ધક્ષેત્રી છે માટે 3 3 કાળ ચંદ્ર સાથે = 15 મુ. સાથે રહેશે. 3) બાકીના અમુક 6 નક્ષત્રો સાર્ધક્ષેત્રી છે માટે છે ? કાળ ચંદ્ર સાથે = 45 મુ. સાથે રહેશે. 4) બાકીના 15 નક્ષત્રો સમક્ષેત્રી છે માટે 67 કાળ ચંદ્ર સાથે = 30 મુ. | 67 સાથે રહેશે. G)(