________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૮
છે. માંસનું ભાજન પણ એવી રીતે અપવિત્ર. ઘીનો ઘડો ઘીની વાસનાથી પવિત્ર ગણાય છે. ઘડો ઘડાનું કાર્ય કરે છે તથાપિ વાસનાના ભેદથી તેમાં ફરક પડે. એક અપવિત્ર અને બીજો પવિત્ર. એક અગ્રાહ્ય બીજો ગ્રાહ્ય. તેની જેમ સુવાસના વાસિત જાણવાની શક્તિ તે જ્ઞાન, કુવાસનાવાલું તે અજ્ઞાન. જાણવાની શક્તિને વાસિત કરવાવાળી શ્રદ્ધા તે સુવાસના એક ગુણ છે. કર્મ લેપથી તેને આ ગુણ પણ તરેહ તરેહના દોષોથી દુષ્ટ બને છે. ખાટી શ્રદ્ધા એ છેલી જ પંકિતની કુવાસના અને સાચી શ્રદ્ધા એજ ઊંચી પંકિતની સુવાસના જાણવી. ૩૦ કુવાસના એજ મિથ્યાત્વ છે. તેનું કિંચિત્ સ્વરૂપ નીચે પ્રમાણે. આશ્રવ અને મિથ્યાત્વનું સ્વરૂપ.
જેટલો અવગુણ અગ્નિ ન કરે, જેટલો અવગુણ વિષ ન કરે, જેટલો અવગુણ કાળે સર્પ ન કરે, તેટલો અવગુણ મહા દોષરૂપ અજ્ઞાન કરે છે. માટે અજ્ઞાન રૂપ આકરો દેષ તે મિથ્યાત્વ જાણવું.
કાઈ જીવ અનેક પ્રકારે કણક્રિયા કરે તથા પંચાગ્નિ સાધના તપશ્ચર્યાદિક કરે, પાંચ ઇંદ્રિયને વશ કરવા સારૂ આત્માને તમે, ધર્મને અર્થે ધન પ્રમુખને ત્યાગ કરે, એટલાં સર્વ કાર્ય કરે, પરંતુ જે એક મિથ્યાત્વને નથી છેડતા તો તેની ક્રિયા વિષના સરખી કદાગ્રહ હઠરૂપ જાણવી, અને તે છવ સંસાર
For Private and Personal Use Only