Book Title: Chaityavandan Chovisi 02
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 73
________________ (૧૧) શ્રી સ્વામીપ્રભ જિન સ્તવન ૧૪૧ જો અરજ કરીને દીજી. સા૨ સંક્ષેપાર્થ:- તમે જો આપવા ધારો તો સર્વ આપી શકો છો. તો મને અજર અમર કરતાં આપનું શું જવાનું છે, કંઈ જ નહીં. આપ જેમ છો તેમ જ રહેવાના છો. હે પ્રભુ!પૂર્ણ યશ કેવી રીતે પામી શકશો, જો મારી પાસે અરજ કરાવી પછી અજર અમર પદ આપશો તો. આપે તો વગર અરજીએ જ મને અજર અમર પદ આપી દેવું જોઈએ, એમાં જ આપની શોભા છે. હે સાહેબ ! આ મારી અરજીને જરૂર ધ્યાનમાં લેશો. //રા જો અધિકું ઘો તો દેજોજી, સાવ સેવક કરી ચિત્ત ધરેજોજી; સાવ યશ કહે તુમ પદ સેવાજી, સારુ તે મુજ સુરતરુફળ મેવાજી. સા૩ સંક્ષેપાર્થ:- હે પ્રભુ!કૃપા કરી મને જો આપવા ઇચ્છતા હો તો સર્વથી અધિકું એવું મોક્ષપદ જ આપશો. કેમકે હું આપનો ઘણા કાળનો સેવક છું. આ વાત આપ ચિત્તમાં ધારણ કરી પછી આપશો. શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે તમારા ચરણકમળની સેવા છે એ જ મારા મનને તો દેવતાઈ કલ્પવૃક્ષના મેવા જેવા મીઠા ફળને આપનાર છે એમ હું દ્રઢ કરીને માનું . માટે હે સાહિબા ! ઉપરોક્ત મારી અરજ સ્વીકારી જરૂર મને અજર અમર પદ આપશો. //all ૧ર ચૈત્યવંદન ચોવીશી ભાગ-૨ શુદ્ધાત્મ ગુણોના સ્વામી છો તથા જિણંદ કહેતા જિનોમાં ઇન્દ્ર સમાન તથા સર્વ ભવ્યોના નાથ છો. | વિશ્વમાં રહેલા અનંત શેય પદાર્થને આપ તેના સર્વ ગુણો તથા પર્યાયો સહિત સંપૂર્ણપણે જાણો છો; કેમકે આપ પ્રભુજી અનંતજ્ઞાનદર્શનરૂપ દિણંદ કહેતા સૂર્ય સમાન છો. માટે મારી વર્તમાન પતિત દશાને આપ સમક્ષ, માર્ગદર્શન મેળવવા અર્થે નીચેની ગાથાઓ વડે જણાવું છું. l/૧ વર્તમાન એ જીવની, એહવી પરિણતિ કેમ; નાક, જાણું હેય વિભાવને, પિણ નવિ છૂટે પ્રેમ. ના ન૦૨ સંક્ષેપાર્થ :- હે નાથ! વર્તમાનકાળમાં મારા જેવા જીવોની એવી પરિણતિ એટલે ભાવ કેમ છે કે- જે વિભાવભાવ મહા દુઃખકારક છે, પરતંત્રતા વધારનાર છે, તેને ભવભ્રમણનું કારણ જાણી તથા આત્માના જ્ઞાન દર્શનાદિ ગુણોને ઢાંકનાર જાણી તજવા ઇચ્છું છું; છતાં તેના ઉપર રહેલો મારો પ્રેમભાવ કેમ છૂટતો નથી; તેનું શું કારણ હશે? તે હે નાથ ! આપ જણાવો. રા પરપરિણતિરસ રંગતા, પર ગ્રાહકતા ભાવ; ના પર કરતા પ૨ ભોગતા, શ્યો થયો એહ સ્વભાવ. ના ન૦૩ સંક્ષેપાર્થ :- આત્માથી પર એવા નિંદવાલાયક, ચપળતા કરાવનાર, અસ્થિર અને અનેકવાર ભોગવેલ એંઠવાડા સમાન એવા પુદ્ગલોમાં મારા આત્માની પરિણતિને રસ આવે છે, તેમાંજ તે રંગતા એટલે રંજાયમાન થાય છે; તથા તે પરપુગલોને ગ્રહણ કરવાના જ ભાવ સદા રહ્યા કરે છે. તેમજ મારો આત્મા સ્વભાવ પરિણતિનો કર્તા મટી જઈ પરભાવનો કર્તા અને તેના ફળમાં પર પદાર્થનો જ ભોક્તા બનીને સદા ચાર ગતિમાં જ રઝળ્યા કરે છે. હે પ્રભુ! આવો મારો સ્વભાવ કેમ થઈ ગયો ? તેનું શું કારણ હશે? તે દર્શાવો. ilal વિષય કષાય અશુદ્ધતા, ન ઘટે એ નિરધાર; નાક તો પણ વંછું તેહને, કિમ તરીએ સંસાર. ના ન૦૪ સંક્ષેપાર્થ :- જે વિષય કષાયો આત્માના ગુણોને અશુદ્ધ કરવાવાળા છે. તે માટે આદરવા ન જોઈએ, છતાં તે ઘટતા નથી, એ નિરધાર એટલે ચોક્કસ વાત છે. ત્યાગવા યોગ્ય વિષયકષાયને ઘટાડવાને બદલે તેને વંડ્યા જ કરું (૧૧) શ્રી સ્વામી પ્રભ જિન સ્તવન શ્રી દેવચંદ્રજીકૃત ગત ચોવીશી (૨ો હો હો હો વાલહા- દેશી) નમિ નમિ નમિ નમિ વીનવું, સુગુણ સ્વામી જિણંદ નાથ રે; જોય સકલ જાણંગ તુમે, પ્રભુજી જ્ઞાનદિગંદ નાથ રે. -૧ સંક્ષેપાર્થ :- હે સ્વામીપ્રભ જિન! આપને હું વારંવાર વિનયપૂર્વક નમિ નમિને નીચે મુજબ મારી દશાને વિનવું છું. કેમ કે આપ પ્રભુ તો અનંત

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148