________________
[ ૧૨૨ ]
શ્રી કપૂરવિજયજી ન હોય, અહિતથી નિવારવારૂપ વારણ ન હોય, સંયમ
ગમાં સ્મલિત થયેલ શિષ્યને “તમારી જેવાને આમ કરવું અયુક્ત છે ” ઈત્યાદિ વચનવડે પ્રેરણારૂપ ચાયણુ ન હોય, તેમ જ તથારૂપ પ્રસંગે પુનઃ પુનઃ પ્રેરણારૂપ પડિચોયણું કરાતી ન હોય તેમની પાસે ગમે તેટલું રહેતા છતાં કલ્યાણ કયાંથી થાય ? અર્થાતુ ન જ થાય.
પરંતુ જે સુગુરુ સમીપે સંયમયોગ સાધતાં સારણ–વારણાદિક કાયમ સદૈવ થતાં હોય, તે કદાચ દંડ કે દોરાથી તાડન કરતા હોય તો પણ તેને ભલા-કલ્યાણકારી જાણવા.”
હવે શિષ્યનું નિર્ગુણપણું દર્શાવે છે.
૧૮. “નિદ્રા-વિકથાદિક પ્રમાદરૂપ મદિરાવડે જેનું તત્ત્વજ્ઞાન ઢંકાઈ-દબાઈ ગયું છે તે અને શેલક આચાર્યની પેઠે સામાચારીને ભંગ કરનાર પિતાના ધર્મોપદેશક ગુરુને જે હિતોપદેશ આપી સન્માર્ગમાં ન સ્થાપે તે સ્વહસ્તદીક્ષિત શિષ્ય પણ શત્રુરૂપ સમજ. પંથક–પથિક-મુનિની જેમ સતત વિનાપચારવડે પતિત ગુરુને પુન: માર્ગમાં સ્થાપનાર સુશિષ્યની બલિહારી છે.” | સુશિષ્ય હોય તે પ્રમાદગ્રસ્ત ગુરુને શી રીતે બોધ કરી માર્ગને વિષે આણે? તે કહે છે –
૧૯, “હે સ્વામિન! આપના જેવા પુરુષ પણ જે પ્રમાદવશ થઈ જાય તો પછી અપાર સંસારસાગરમાં પડતા મંદભાગી એવા અમને આપ પૂજ્ય સિવાય બીજા કોનો આધાર ? ઘરબાર તજી આપના શરણે આવેલા અમારે આપ