Book Title: Lekh Sangraha Part 03
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 340
________________ લેખ સગ્રહ : ૩ : [ ૩૯ ] ગ્રહના ત્યાગી છે અને વિષયવિકારાથી વિરમ્યા છે તેવા સાધુજનાનું જ જીવિત પ્રશંસવા ચાગ્ય છે. ૨૨૦. સંસારચક્રના અંત કરે એવી ઉત્તમ આચરણા જે સજ્જના સન્ના આચરતા રહે છે તે રાગ દ્વેષના ક્ષય કરીને માક્ષપદને પામે છે. ૨૨૧-૨૨૩. જે શત્રુ-મિત્ર, માન-અપમાન, લાલઅલાભ ને પથ્થર-કચનમાં સમભાવ રાખે છે, વળી જે સભ્યહ્ત્વ ભાવનાવડે શુદ્ધ છે, જ્ઞાનસેવામાં સાવધાન છે, ચારિત્રાચારમાં સદા રક્ત છે અને અક્ષયસુખનાં આકાંક્ષી છે—એવા મહાનુભાવ તપસ્વી સાધુને દેખી જે દુતિ તેનું અપમાન કરે છે તે મનુષ્યજન્મ પામ્યાનું પ્રધાન ફળ સથા હારી જાય છે. નિ:સ`ગતા 46 99 ૨૨૪. રાગાદિક ઢાષને વધારનારી મમતાને તજી દેનારા, દૃઢ વ્રતધારી, ધીર ને નિર્મળ ચિત્તવાળા, મહામતિવત મુનિજના વિવિધ પ્રકારના તપને આદરે છે. ૨૨૫. સંસારથી વિરક્ત ચિત્તવાળા અને મેાક્ષસુખના અથી એવા પ્રતિબંધથી નિવર્તે લા નિગ્રંથ મુનિજનાનું જીવિત ખરેખર પ્રશંસાપાત્ર છે. ૨૨૬. સાત ભયથી મુક્ત, અપ્રમત્ત ને ત્રિકાળ શુભ ચેાગયુક્ત મુનિજનાનુ જિવત સફળ છે. ૨૨૭. આર્ત્ત રોદ્રધ્યાનના પરિત્યાગ અને ધર્મ -શુક્લધ્યાનનું આસેવન કરવાથી જીવ અક્ષય-અનંતસુખરૂપ નિર્વાણપદ પામે છે.

Loading...

Page Navigation
1 ... 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368