Book Title: Yogdrushti Samucchay Part 01
Author(s): Bhuvanbhanusuri, Padmasenvijay
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 246
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org યોગના ૮ અંગનો પરિચય ) (૪) પ્રાણાયામ એટલે માત્ર બાહ્ય પ્રાણના રેચક-પૂરક-કુંભકની વ્યવસ્થિતતા નહિ; કેમકે એ તો દ્રવ્ય પ્રાણાયામ છે, એનાથી કોઇ ઉચ્ચ કોટિની ચોથી યોગદૃષ્ટિનો બોધ-પ્રકાશ ન આવે. એ તો ભાવ-પ્રાણાયામથી આવે. દ્રવ્ય-પ્રાણાયામ શરીરને સ્ફુર્તિ આપે છે, ત્યારે ભાવ-પ્રાણાયામ આત્માને સ્ફુર્તિ આપેછે. (૫) પ્રત્યાહાર ઃ- વિષયોના વિકલ્પો તરફ ઈદ્રિયોને ન જોડવી, અર્થાત્ રાજી-નારાજ ન થવા દેવી. એનું નામ પ્રત્યાહાર છે. કહ્યું છે ‘વિષય વિકારે ઇન્દ્રિય ન જોડે તે ઈહા પ્રત્યાહારો રે.' વિષયોના વિકારો એટલે ફેરફારો ઇષ્ટતા-અનિષ્ટતા... વગેરે. એમાં ઇન્દ્રિયો મધ્યસ્થ રહે, ઉદાસીન રહે. એને કશું ઇષ્ટ નહિ, અનિષ્ટ નહિ, વિષયો સાથે જાણે કશી નિસ્બત નહિ. (૬) ધારણા આમાં જે કાંઇ તત્ત્વ સમજાયાં, એને ભૂલી ન જવાય એ રીતે દિલમાં ધારી રાખે. એ એનાં પુનઃ પુનઃ પારાયણથી થાય. (૭) ધ્યાન- એ તત્વ-પારાયણમાં જયાં મન કેન્દ્રિત થાય, એકાગ્ર તન્મય થાય, એ ધ્યાન. વારંવારના એવા અભ્યાસથી ધ્યાનબળ વધતું જાય. (૮) સમાધિ :- એમાં ધ્યાનબળ વધવાથી ધ્યાનના વિષયમાં એકતાનતા એકરસતા એકરૂપતા આવે. ૮ ત્યાજય દોષ : -- (૧) ખેદ ઃ- ખેદ એટલે થાક, માર્ગમાં ચાલતા થાક લાગ્યો, પછી આગળ ચાલવાનું તો છે જ, પણ ખેદ લાવે, અર્થાત્ થાકેલા મનથી ચલાય. એમ અહીં દેવકાર્યાદિ ધર્મ પ્રવૃત્તિ ખેદ સાથે કરાય. ભવાભિનંદીપણાનો આ ખેદ દોષ છે. એ યોગની પહેલી મિત્રાદ્દષ્ટિમાં ન જોઇએ. એ ટાળો, એનો ત્યાગ કરો, એટલે મિત્રા-દૃષ્ટિમાં અવાય. આગળ આગળની દૃષ્ટિમાં આ પ્રમાણે સમજવાનું છે કે, તે તે દૃષ્ટિમાં જે જે દોષનો ત્યાગ છે, તે તે દોષ પૂર્વ પૂર્વ Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧૩ દૃષ્ટિમાં તજવાની મહેનત કરવાની; ને એ દોષ ટળે એટલે ઉપરની દૃષ્ટિમાં અવાય. (૨) ઉદ્વેગ :- ઉદ્વેગ એટલે મનને સુખ નહિ. ધર્મ-પ્રવૃત્તિ તો ઉત્સાહથી શરુ કરી, પરંતુ પછી ગમે તે કારણે ધર્મ-પ્રવૃત્તિમાં ઉદ્વિગ્નતા આવી, મનને સુખરૂપતા ન લાગી, એ ઉદ્વેગ દોષ. દા.ત. ચૈત્યવંદન તો હોંશથી કરવા બેઠા પણ પછીથી બીજો કોઈ ચૈત્યવંદન કરવા આવ્યો; તે જરા મોટેથી બોલે છે એટલે પોતાને ઉદ્વેગ થઇ આવે. (૩) ક્ષેપ :- ક્ષેણ એટલે જયાં ત્યાં મનને ફેંકવું અર્થાત્ ધર્મ પ્રવૃત્તિ કરતાં કરતાં ચિત્તને બીજે ત્રીજે લઇ જવું તે. તાત્પર્ય, બીજાત્રીજા વિચાર કરવા એ આ ક્ષેપ દોષ છે. (૪) ઉત્થાન :- બીજા આડાઅવળા વિચાર તો ન કરે, પરંતુ આ જ ધર્મપ્રવૃત્તિમાં ચાલુ યોગમાંથી ચિત્તને ઉઠાડીને પછીના યોગમાં લઇ જાય તે ઉત્થાન. દા.ત. પ્રભુને પ્રક્ષાલપૂજા કરતી વખતે મનમાં લાવે કે ‘આ પતાવીને સરસ આંગી બનાવવી છે.' આમાં પ્રક્ષાલપૂજામાં ચિત્ત એકાકાર ન થાય, ઇષ્ટ ફળ ન આપે. આ એના જેવું છે કે ડાંગરના રોપાને ૨-૩, ૨-૩ દહાડે મૂળ સાથે ઉપાડી-ઉપાડી બીજે-બીજે રોપ્યા કરે, તો એના પર પાક ન આવે. (૫) બ્રાન્તિ :- ભ્રાન્તિ એટલે ભ્રમણા. ચાલુ ધર્મ-પ્રવૃત્તિમાં ભ્રમ પડી જાય કે ‘આટલું' મેં કર્યું કે નહિ ? દા. ત. કાઉસ્સગ્ગમાં ભ્રમ થાય લોગસ્સ ગણ્યા કે ત્રણ લોગસ્સ ?'' (૬) અન્યમુદ્ :- મુદ્ એટલે આનંદ ચાલુ ધર્મ પ્રવૃત્તિમાં બીજી ધર્મ-પ્રવૃત્તિનો આનંદ લાવે; દા.ત. પ્રક્ષાલપૂજા વખતે મનમાં આંગી પૂજા કરવાનો આનંદ લાવે, કે ‘આંગી રચવાની મજા ઓર!'- એવું મનમાં લાવે, આ અન્યમુદ્ ચાલુ ધર્મયોગમાં એવો જોરદાર આનંદ ન રહેવા દે, (૭) રોગ :- ધર્મ પ્રવૃતિ કરતાં કોઇ માનસિક પીડા ઊઠે, મનોભંગ થાય, એ રોગ દોષ છે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282