Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust
View full book text
________________
पौडी ६ ४५ तीरथि नावा जे तिसु भावा, विणु भाणे कि नाइ करी । ४६ जेती सिरठि उपाई वेखा, विणु करमा कि मिलै लई । ४७ मति विचि रतन जवाहर माणिक, जे इक गुरकी सिख सुणी । ४८ गुरा इक देहि बुझाई । ४९ सभना जीआका इकु दाता, सो मै विसरि न जाई ॥ ६॥ .
પરમાત્મા રીઝે, એ મારું તીર્થસ્નાન, તે ન રીઝતા હોય તો (તીર્થ) નાહીને શું કરું? (૪૫).
આ ઉત્પન્ન થયેલી સકળ સૃષ્ટિને જોઉં છું, તો તેમાં પરમાત્માની કૃપાદૃષ્ટિ વિના બીજું લેવાથી શું મળે? (૪૬)
સદ્ગુરુની શીખ જો સાંભળીએ, તો અંતરાત્મામાં રત્ન, જવાહિર અને માણેક લાધીએ. (૪૭).
(તો) હે ગુરુ! મને એક વાત શીખવી દો કે,– (૪૮).
સર્વ જીવે તણા એ એક દાતા (પરમાત્મા)ને હું વીસરી ન જાઉં! (૪૯)
૧. માવા–ભાવેગમે-ખુશ થાય. ૨. વિષ્ણુ માને-તેમની ખુશી વિના. ૩. ૩પવું . ૪. વિનુ મf I – તેમની પ્રસન્નતા વિના. અને તેમની પ્રસન્નતા ગુરુનાં સેવા-સંગથી નામસ્મરણમાં લાગે ત્યારે થાય; તેથી કહે છે કે, (કડી ૪૮-૯) હે ગુરુ, સર્વ જીવો તણા એ એક દાતા પરમાત્માને હું કદી ન વિસરું એવું કરો! ૫. મતિ વિજિ - બુદ્ધિની-મનની–વચ્ચે. અર્થાત્ અંતરાત્મામાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org