Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust
View full book text
________________
પંજથી ?
गुर परचे मनु साचि समाइ - પ્રવતિ નાનવુ છું ને વાર છે ૪૨ / -
અથ
(નાનક કહે છે:-).
“(સદ્ગુરુ કૃપા કરીને પરમાત્માનું) નામ આપે તો (મન રૂપી) ચંદ્ર અપાર જ્યોતિથી ઝળહળી ઊઠે, અંધારાથી ઘેરાયેલા મનની અંદર (સાક્ષાત્કાર રૂપી) સૂર્યનો પ્રકાશ પ્રવેશતાં તેનું (અજ્ઞાનરૂપી) અંધારું દૂર થઈ જાય;
“ગુરુએ આપેલા નામને જપતાં' (વિષયોરૂપી વિષ ઊતરી જાય, અને) સુખ તથા દુ:ખ સમાન બની રહે; પરમાત્મા પોતે પછી તેને (ભવસાગરની) પાર ઉતારી દે.
“આમ, સદ્ગુરુનો સંગ થતાં મન સત્ય-પરમાત્મામાં લીન થાય;
“નાનક કહે છે કે, પછી કાળ તેને ખાઈ શકતો નથી. (ઊલટો તે કાળને ખાઈ જાય છે !) [૪૯]–
[નાન – વીરું] " नाम ततु सभही सिरि जापै
बिनु नावै दुखु कालु संतापै । ૧. સહુ માવત. ૨. સસિ ઘર = ચંદ્રરૂપી મનની અંદર. મન પોતે જ ઈવર-દર્શનરૂપી પ્રકાશ પડતાં સૂર્ય સમાન પ્રકાશિત થઈ ઊઠે છે. ૩. વસૈ | ૪. અધારા – આધાર લેતાં. ૫. આ સાદા સીધા લાગતા શબ્દો પરિપૂર્ણતાના - પૂર્ણ બ્રહ્મ સાથે એકતાના સૂચક છે. દુ:ખ એટલે જોઈતી વસ્તુ ન મળવાથી થતી લાગણી પરંતુ પરિપૂર્ણ બન્યા હોય તેને કદી કોઈ વસ્તુ ન મળ્યાનું દુઃખ ન હોય. તે પ્રમાણે સુખ એટલે જાઈતી વસ્તુ મહાપ્રયતે પ્રાપ્ત થવાથી થતી લાગણી. પરિ પૂર્ણને બધું હમેશાં પ્રાપ્ત જ હોય, એટલે સુખ જેવી ક્ષણિક લાગણી તેને ન થાય. તે નિરંતર સુખરૂપ જ બન્યો હોય. ૬. સમાર | ૭. પ્રવતિ – નમ્રતાપૂર્વક જણાવે છે – વિચાર કરીને જણાવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org