Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 175
________________ ૧૪.. પંજયંથી અથ [નાનક – ચાલુ) ગુરુનો સંગ કરનારના જન્મ-મરણના ફેરા ટળે; ગુરુનો સંગ કરનારો પ્રભુના દરબારમાં માન પામે. ગુરુનો સંગ કરનારો ખોટા અને ખરા વચ્ચે વિવેક કરી શકે; ગુરુનો સંગ કરનારો સહજ ધ્યાન પ્રાપ્ત કરે. ગુરુનો સંગ કરનારો પ્રભુના ગુણકીર્તનમાં ડૂબી શકે; તેને (સાધના કરવા જતાં સિદ્ધિ અહંકાર વગેરેનાં) નવાં બંધનો ઊભાં ન થાય. [૪૧] [નાન–વી] . "गुरमुखि नामु निरंजन पाए गुरमुखि हउमै सबदि जलाए । गुरमुखि साचेके गुण गाए , गुरमुखि साचै रहे समाए ॥ गुरमुखि साचि नामि पति ऊतम होइ । नानक गुरमुखि सगल भवणकी सोझी होइ" ॥४२॥ અર્થ [નાનક – ચાલુ) “ગુરુનો સંગ કરનાર (પરમાત્માનું) પવિત્ર નામ પામે, અને તેનો જપ કરી અહેપણું બાળી નાખે. ૧. પ્રભુમાં લવલીનતા એ જ ધ્યાન અથવા સમાધિ. રાજયોગની અને હઠયોગની સમાધિ અહંપણું અને સિદ્ધિઓ વગેરેમાં મમતા વધારતી હોવાથી, ગુરુઓ પ્રભુ પ્રત્યે પ્રેમ-ભક્તિ દ્વારા અને પ્રભુ પ્રીત્યર્થે સ્વકર્તવ્યનું પાલન કરવા દ્વારા –ગૃહસ્થાશ્રમમાં જ – પ્રભુમાં જે લવલીનતા પ્રાપ્ત થાય, તેને ‘સહજ’-ધ્યાન કે સમાધિ કહે છે તે ધ્યાન કે સમાધિ જ તેમને માન્ય છે. સરંગને અર્થ સ્વસ્વરૂપમાં સ્થિત – પરમાત્મા – એવો લઈએ, તે આ કડીને અર્થ “પ્રભુમાં લવલીનતા પ્રાપ્ત કરી શકે,’ એવો થાય. ૨. મૂળ દ્રઢ | દરબાર – પ્રભુનો દરબાર, પ્રભુ પોતે. ૩. સિતિ ૪. નિરંગન | ૫. સવ િ ૬. જીવ તરીકેનું પોતાનું જુદાપણું – દ્વતભાવ પરમાત્મા વિરુદ્ધ પિતાનું સત્યપણું-જુદાપણું ઠેકવવું અને કામનાઓ કરવી તે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208