Book Title: Siddha Prabhrut Ane Siddha Panchashika
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 12
________________ ૧૧ પરમ પૂજ્ય સિદ્ધાંતમહોદધિ પરમગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા કહેતા હતા..... + લોકોત્તર શાસનમાં મર્યાદા કેટલી બધી છે ! કોઈ સામાન્ય સાધુ આવે તો પણ આચાર્યે ઊભા થઈ જ જવું જોઈએ. + જો આચાર્ય ગચ્છને ન સાચવે, ગચ્છની પાલના-લાલના ન રાખે તો એ આચાર્ય કસાઈ કરતાં ય ભયંકર કહ્યા છે. કસાઈ તો એક ભવના પ્રાણ લે છે, પણ આચાર્ય જો સાધુના સંયમનું પાલન ન કરે તો અનંત સંસાર વધારે છે. + ભણાવનાર નાનો હોય તો ય ભણનાર તેને વંદન કરે. + પંન્યાસપદમાં સર્વ શાસ્ત્રો વાંચવાની અનુજ્ઞા આપવાની હોય છે. જેને આ પદ લેવાનું છે તેનું જોખમ વધી જાય છે. + વર્તમાનમાં જેટલાં આગમો છે, તેટલાં તો વાંચી જવા જ જોઈએ. + અયોગ્યને પદવી આપે તે વિરાધક છે. યોગ્યને ન આપે તે ય વિરાધક ! માટે યોગ્યતા ન હોય તો યોગ્યતા પ્રાપ્ત કરવી. “અમુક ઠેકાણે આમ થયું...” એ દૃષ્ટાંત આપણે ન લેવાય. આપણી યોગ્યતા વિચારી લેવી જોઈએ. જો યોગ્યતા નહીં વિચારો તો વિરાધનાના ભાગીદાર બનશો. + ધર્મના લેબાસમાં દુન્યવી દષ્ટિવાળા વધુ ભયંકર છે. + ત્યાગમાર્ગ પર આવ્યા છતાં દુનિયા તરફ, વિષય-કષાય તરફ ધસારો હોય તો ભયંકર બંધ પડે. + સાધુજીવનમાં જેમ બને તેમ ઇંદ્રિયો પર, કષાયો પર કાપ મૂકવો. + આચાર્ય પોતાના રત્નાધિકને વંદના ન કરે, પરંતુ વિનયમર્યાદા ન સાચવે તો આચાર્યને ગચ્છ છોડીને ચાલ્યા જવું પડે.

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 244