Book Title: Marge Chalo Mnzil Pamo
Author(s): Devratnasagar
Publisher: Shrutgyan Prasaran Nidhi Trust

View full book text
Previous | Next

Page 354
________________ “હા...ખાડામાં પડવાથી મોત પણ આવી શકતું હતું...એના બદલે માત્ર જખમથી કામ પતી ગયું એ ભગવાનનો ઉપકાર ઓછો છે ?' ગુરુની આ વાત સાંભળીને શિષ્યો સ્તબ્ધ થઇ ગયા.. જેની પાસે સારું જ જોવાની દ્રષ્ટિ છે તેને કોઇપણ જગ્યાએ ખરાબ જોવા જ મળતું નથી... અને એટલા જ માટે ગુણ પક્ષપાતના...ગુણાનુરાગના આ ગુણને આત્મસાત્ કરી લેવા જેવો છે... પોતાનામાં ગુણ ન હોય તો પણ વાતચીતમાં ગુણ તરફ પક્ષપાત તો જોઇએ જ ! જેમ કે સમર્થન સત્યનું જ કરાય, જૂઠનું નહિ...દયાનું જ કરાય, ક્રૂરતાનું નહિ. નીતિનું જ કરાય, કૂડ-કપટનું નહિ...સરળતાનું જ કરાય, માયાપ્રપંચનું નહિ...ગુણની જ વાત તરફ રુચિ દેખાડાય...ગુણને જ ટેકો અપાય...એમ વ્યવહાર પણ એવો જ હોવો જોઇએ કે જેમાં ગુણનો જ પક્ષપાત તરી આવતો દેખાય ! યાદ રાખજો પ્રયત્ન ગુણવિકાસનો કરતાં પહેલા ગુણદ્રષ્ટિના વિકાસનો કરવા જેવો છે...દોષ-નાશનો કરતાં પહેલા દોષ દ્રષ્ટિના નાશનો કરવા જેવો છે...! કારણ કે ગુણદ્રષ્ટિના વિકાસમાં જ ગુણપ્રાપ્તિના બીજા પડ્યા છે, તે જ રીતે દોષદ્રષ્ટિના નાશમાં જ દોષનાશના બીજ પડ્યા છે ! - એકવાર દ્રષ્ટિને આ રીતે કેળવો....કલ્પનાતીત પરિણામ આવીને ઊભું રહેશે...સાવ મામૂલી બાબતમાં પણ ઉદ્વિગ્ન બની જતું મન આવી દ્રષ્ટિ બન્યા પછી ભયંકર બાબતમાં પણ સ્વસ્થ રહેશે એ નિશ્ચિત વાત છે... ” બાકી સંસારી આત્મા તો બગીચામાં ઊગેલા ગુલાબ જેવો છે...જેમ ગુલાબના પુષ્પની આસપાસ કાંટાઓ હોય જ છે તેમ સંસારી આત્મામાં દોષો તો રહેવાના જ ! હા...એવું બને કે કોઇનામાં ૧૦૦-૨૦૦ દોષો હોય તો કોઇનામાં પ-૨૫ દોષો હોય...પરંતુ દોષ વિનાનો તો એક પણ આત્મા તમને જોવા નહિ મળે... પણ બગીચામાં જનારો માણસ જેમ ગુલાબની સુગંધ જ માણે છે, કાંટાઓ તો ગણતોય નથી તેમ ગુણાનુરાગી આત્મા પણ અન્ય આત્માના ગુણોની

Loading...

Page Navigation
1 ... 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394