Book Title: Marge Chalo Mnzil Pamo
Author(s): Devratnasagar
Publisher: Shrutgyan Prasaran Nidhi Trust

View full book text
Previous | Next

Page 364
________________ માર્ગાનુસારીનો બાવીશમો ગુણ છે : અ-દેશ-કાળચર્યાનો ત્યાગ. માનવીની એક મોટામાં મોટી વિશિષ્ટતા ! શરીર પર મેલ ન ચડી જાય..ચડેલો મેલ રહી ન જાય એ માટે એણે શરીરને રોજ નવડાવ્યું. એ શરીરની શોભા વધારનારા વસ્ત્રો મેલા ન થઇ જાય...મેલા ન રહી જાય એ માટે રોજ એણે વસ્ત્રોને ધોવા નાખ્યાં...પણ ભારે કિંમતી એવા મન પર જામી ગયેલા થરના થરની એણે જરાય ચિંતા જ ન કરી...થોડા થોડા પ્રમાણમાં ચડતા ગયેલા એ મેલના ઘરે એની જિંદગી બરબાદ કરી નાખી.. તોય એ સમજયો નહિ...સાવધ થયો નહિ, એટલું જ નહિ, હાથે કરીને વધુ મેલ ચડે એવા જ સ્થાનમાં અને વાતાવરણમાં તે જતો ગયો...અને પોતાના ઉત્તમ જીવનની એ બરબાદી નોતરી બેઠો.....આ બરબાદીને અટકાવવાનો એક સારામાં સારો ઉપાય એટલે જ અ-દેશ-કાળચર્યાનો ત્યાગ ! અ-દેશ એટલે કે અનાર્યદેશ અથવા તો આર્ય પણ હિંસક, દગાબાજ, દુરાચારી, જુગારી, ગુસ્સાખોર, ધર્મવિરોધી વગેરે દેશ, ગામ, મહોલ્લો કે શેરી. અ-કાળ એટલે કે અયોગ્ય કાળ...એમાં વસવું કે ફરવું નહિ. કેમકે તેથી શરીર-ધન-આત્માને નુકશાન પહોંચે છે. શાસ્ત્રકારોએ આપણા આત્માની ચિંતા માટે કેટકેટલી કાળજી કરી છે તેનો ખ્યાલ તો આવા ગુણોના પાલનના લાભને નજર સામે લાવીએ ત્યારે આવે ! એક વાત તો નિશ્ચિત્ત છે કે માણસને જ્યાં સંપત્તિ દેખાઇ છે...ત્યાં એ જાગૃતસાવધ અચૂક બન્યો છે...ધનની તાકાતનો જેને ખ્યાલ છે એવા કોઇપણ માણસને લગભગ કહેવું નથી પડતું કે, “ભાઈ ! આ બાજુ ગુંડાઓનો અડો છે માટે એ તરફ જતો નહિ...અથવા તો આ રસ્તેથી રાતના દસ વાગ્યા પછી નીકળવામાં પૂરેપૂરું જોખમ છે માટે ભૂલેચૂકે એવા ટાઈમે આ રસ્તાથી નીકળતો નહિ !” આવું કાંઇ કહેવું પડતું નથી કારણ કે એ માણસને ધનની હાજરીના લાભ અને ધનના અભાવના નુકશાનનો પૂરેપૂરો ખ્યાલ છે...અને એટલા જ માટે તે માણસ હાથે કરીને અથવા તો સામે ચડીને કોઇ જોખમ ઉઠાવવા તૈયાર થતો નથી અરે ! એવો કોઇ પ્રસંગ આવી જ ગયો હોય તોય એ પ્રસંગે ખૂબ સાવધ બની જતો હોય છે ! મારી પાસે રત્નો છે... વાણિયો બહારગામથી પુષ્કળ કમાણી કરીને પોતાના ઘર તરફ જઇ રહ્યો ૩૫૭

Loading...

Page Navigation
1 ... 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394