________________
જેનદર્શન અને માંસાહાર,
૩૭ अन्ने पारियासिए मज्जारकडए कुकुडमंसए तमाहराहि vપ દો.”
| (ભગવતી સૂત્ર શ. ૧૫ પૃ. ૬૮૬.) જૈનશાસ્ત્રના નવ અંગ શાસ્ત્રોના ટીકાકાર મહાન સમર્થ વિદ્વાન અભયદેવસૂરિએ ક્રમવાર અંગસૂત્રની ટીકા રચી છે પ્રથમ ઠાણાંગજી સૂત્રની ટીકા કરતાં તેના નવમે ઠાણે પ્રભુ મહાવીરના વખતમાં નવ જણાએ તીર્થકર ગોત્ર બાંધ્યું તેને લગતા પાઠ છે તે નવ જણાએ શા શા કારણે તથા શું કરવાથી તીર્થકર ગોત્ર બાંધ્યું તેનો ત્યાં ઉલ્લેખ છે. ત્યાં રેવતી ગાથાપત્નીએ પણ ઉપરનો વિવાદવાળો આહાર પ્રભુને વહોરાવવાથી તીર્થકર ગેત્ર બાંધ્યું તે પાઠ છે. તે પ્રસંગને વર્ણવતાં ટીકાકાર અભયદેવસૂરિએ વિવાદવાળાં સૂત્રને નીચે પ્રમાણે અર્થ કરેલ છે.
“તતા નર છે...............મર્થ ટૂંકમાઇ ફરે उपस्कृते, न च ताभ्यां प्रयोजनं, तथाऽन्यदस्ति तदगृहे परिवासितं मार्जाराभिधानस्य वायोनिवृत्तिकारकं कुक्कुटमांसकं बीजपूरक-कटाहमित्यर्थ :, तदाहर, तेन न: प्रयोजनमिति"
“તું નગરમાં જા અને રેવતી નામની ગાથાપત્નીએ મારા માટે બે કોળાનાં ફળો સંસ્કાર કરીને તૈયાર કર્યા છે તેનું પ્રયોજન નથી, પરંતુ તેના ઘરમાં માજર નામના વાયુની નિવૃત્તિ કરવાવાળો બિજેરા ફળને ગર્ભ છે તે લઈ આવ; તેનું ભારે પ્રયોજન છે.”
(ઠાણુગળ સૂત્ર ૬૯૧ પૃ. ૪૫૬-૫૭.) ઠાણુગમાં તેમણે આ વિવાદવાળા શબ્દોના વનસ્પતિવાચક અર્થો વિસ્તારથી ચર્ચા કરીને કરેલ છે, એટલે તે ચર્ચા અહીંયાં ફરી કરવામાં આવી નથી. અને તે જ અર્થે તેમને માન્ય