Book Title: Jain Darshan Ane Mansahar
Author(s): Manilal Vanmali Shah
Publisher: Mahavir Jain Gyanoday Society

View full book text
Previous | Next

Page 52
________________ જેનદર્શન અને માંસાહાર, આ શબ્દોના આ સ્થળે સંસ્કૃત કે માગધી શબ્દકોષ પ્રમાશેના પ્રચલિત અર્થ લેવા નહિ જોઈએ. કાણું કે અહિયાં તો તે દવા તરીકે વપરાયેલ છે. એટલે તેના અર્થો વૈદ્યકીય શબ્દકે પ્રમાણેના લેવા જોઈએ. અને ત્યાં જે તેના વનસ્પતિવાચક અર્થો યથાર્થ રીતે મળી શકે છે તે આપણે જરૂર સ્વીકારવા જોઈએ. વૈદ્યકીય શબ્દકે સંસ્કૃત ભાષામાં હાઈ ઉપરના શબ્દોના સંસ્કૃત પર્યાયવાચી શબ્દો જાણવા જોઈએ, જે આ પ્રમાણે છે. कवाय = कपोत मजार = मार्जार कुकुड = कुक्कुट मंसए = मांस રેત = ૧ પારાવત. પારાવત નામનું વૃક્ષ થાય છે અને તે વૃક્ષના ફળને પણ પારાવત કહેવામાં આવે છે. | (સુશ્રુત સંહિતા પૃષ્ટ ૩૩૮ ફળ વર્ગ) ૨ કુષ્માંડ ફળ = સફેદ કોળું. આ અર્થ કપોત અને કોળું બન્નેના સરખા વર્ષે હેવાથી ટીકાકારે તે પ્રમાણે લીધેલ છે. અને સમાન લક્ષણ, ગુણ કે રૂપ હોવાને લીધે એકજ શબ્દ પ્રાણવાચક તેમજ વનસ્પતિવાચક હોઈ શકે છે. જેમકે – મકા = ૧ માછલાંના ઇંડાં. ૨ માછલાંના ઈડાં જેવો જેને રંગ તથા આકાર છે તે, એટલે ખાંડ, સાકર, કરવા = ૧ ઉંદરના કાન. ૨ ઉંદરના કાન જેવાં જેનાં પાન છે

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72