Book Title: Jainopanishad Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ॐ ३ अर्हम् अथ जैनोपनिषद्. Acharya Shri Kailassagarsuri Gyanmandir जिनस्योपासकाः જે મનુષ્યા, જિનદેવ તીર્થંકર પરમાત્માના ઉપાસકા, સેવકા, ભકતા છે તે જૈના કહેવાય છે. શ્રીજિનેશ્વર સમવસરણમાં એસીને ચતુર્મુખે દેશના દે છે, માટે તે સર્વજ્ઞવીતરાગબ્રહ્મા કહેવાય છે. રજોગુણુ, તમેગુણુ અને સત્ત્વગુણુની પેલી પાર ગયેલા હેાવાથી શ્રી જિનેશ્વરા, તીર્થંકરા જ મહાદેવ મહેશ્વર જાણવા. કેવળજ્ઞાનથી શ્રીસર્વજ્ઞજિનેશ્વર સર્વવ્યાપક હાવાથી તે વિષ્ણુ ગાય છે. સુખના કર્તા હોવાથી જિનેશ્વર શકર છે. સદાશિવમય અર્થાત્ સદા કલ્યાણમય શ્રીતીર્થંકર અરિહંત હાવાથી તે સદાશિવકહેવાય છે. સર્વ જીવાને તે તે ધમમાં ખેચે છે માટે તે કૃષ્ણ કહેવાય છે. સ જીવાનાં પાપાને હરે છે માટે તે હરિ કહેવાય છે. જ્ઞાનાવરણીયાદિ સર્વ કર્માંન હરવાથી શ્રીજિનેશ્વર પરમાત્માજ હર કહેવાય છે. સંપૂર્ણ ત્ત્વાના તે નાતા હૈાવાથી તે શ્રીજિનેશ્વર ખુદ્ધ કહેવાય છે. સવિશ્વમાં તે સમય હોવાથી તે વિશ્વેશ્વર કહેવાય છે. વસુ અર્થાત્ પૃથ્વીના તે દેવ હાવાથી વાસુદેવ કહેવાય છે. સવિશ્વવતિંભતાનાં હૃદયમાં ધ્યાનવડે રમી રહેલા હાવાથી તે રામ કહેવાય છે. એવા જિશ્વરના ભકતાને, ઉપાસકેાને, જિનેશ્વરના જે રાગી છે તેઓને જૈન કહેવાય છે. જિનદેવના પર પ્રેમરાગને ધારણ કરનારા મનુષ્યાતે જૈન કહેવામાં આવે છે. શ્રી જિતેશ્વર પ્રભુએ ઉપષ્ટિ સદ્વિચારશના અને સદાચારાના જે ઉપાસક છે તે જૈન છે. શ્રી જિનેશ્વરની આજ્ઞા પ્રમાણે દુર્ગુણાને જીતવા પ્રયત્ન કરે છે તે જૈન છે. જે દુખળતાપર જય મેળવે છે અને સર્વ પ્રકારના શુભ જય મેળવાય એવી શક્તિયાને જે પ્રાપ્ત કરે છે તે જૈન છે. જે જિનેશ્વરના ગુણેને ઉપાસે છે તે જૈન છે. જે જિનેશ્વરની ઉપાસના કરવામાં રક્ત છે તે જૈન છે. જે જિનદેવની પૂર્ણ શ્રદ્ધા ધારણ કરે છે તે જૈન છે. જે મનુષ્ય જિનદેવના કહ્યા પ્રમાણે શ્રુત ધર્મ અને ચારિત્ર ધર્મને યથાશક્તિ ઉપાસક અને છે. તે જૈન છે. જૈતા કેવા હોય છે તે જણાવે છે. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50