Book Title: Jainopanishad
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 33
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯ જૈનેપનિષદ લજવે છે. જે શત્રુઓને જીતનારા છે તેજ શત્રુઓના તાબે થઈ જાય છે જેને ગણી શકાય નહિ. વૈરિને જીતનારા લેકે જૈન ગણાય છે કઈ પણ કાર્યમાં જય મેળવે તે જૈનની મુખ્ય ફરજ છે-જે દ્રવ્ય જૈન બની શકો નથી તે ભાવ જૈન બની શકતો નથી. તીર્થકરે પ્રથમ દ્રવ્યજીન બન્યા હતા પશ્ચાત તેઓ ભાવજિન બન્યા હતા, અપજય આપનારા વિચારો અને પ્રવૃતિને જે અનુયાયી બને છે તે જૈન બની શકતો નથી. વ્યવહારથી અને નિશ્ચયથી વિજ્યકારક જે જે વિચારે અને જે જે કાર્યો હોય છે તેને જે અનુયાયી બનીને સર્વ કર્મ કરવામાં વિજયી બને છે તે જૈન ગણાય છે. દુર્ગ પર, દુષ્ટ વ્યસન પર જે વિજય મેળવે છે તથા ખરાબ વાસનાઓ પર જે વિજય મેળવે છે તે જૈન નામને સાર્થક કરે છે. . प्रशस्यव्यावहारिकधार्मिकशक्तिसम्पन्नाः પ્રશસ્ય વ્યાવહારિક શક્તિ વડે અને પ્રશસ્ય ધાર્મિક શક્તિ વડે સંપન્ન જેને હોય છે. પ્રશસ્ય આર્થિક શક્તિ, પ્રશસ્યકાયિક શક્તિ અને પ્રશસ્ય વિદ્યા શક્તિ વડે યુક્ત જૈને હોય છે. સર્વ પ્રકારની પ્રશસ્ય શક્તિોને મેળવનાર જૈને હેય છે. સંસાર વ્યવહારમાં જે જૈને રહે છે તે જૈનોએ પ્રશસ્ય વ્યાવહારિક શક્તિ મેળવવી જોઈએ. પૂર્ણ ભેગી જે ત્યાગી બને છે તે તેજ પૂર્ણ યોગી, પૂર્ણ ત્યાગી બની શકે છે. વ્યાપારનાં સાધનોની શક્તિ, વિદ્યાની શક્તિ આદિ સર્વ પ્રકારની શક્તિ મેળવ્યા વિના જેને શક્તિ સંપન્ન રહી શકતા નથી. જેટલી પ્રશસ્ય વ્યાવહારિક શકિતની જરૂર છે તેના કરતાં પ્રશસ્ય ધાર્મિક શક્તિની અનંત ઘણી જરૂર છે. ધાર્મિક શક્તિ મેળવ્યા વિના ધર્મ, અર્થ, કામ અને મેક્ષ એ ચાર વર્ગની ગૃહસ્થ જૈને આરાધના કરી શકતા નથી. માટે ધર્મની શક્તિથી સર્વથા સુખી સ્વતંત્ર રહેવાય છે એમ સમજી ધાર્મિક શક્તિ વડે, કુટુંબ, કોમ વગેરેને મુક્ત કરવી જોઈએ. पञ्चमारकेऽनार्यधर्मिभ्यो विशेषविद्यासत्ताधनबलवीर्यादिभिः जीवनोपायविचारकर्मसुपरायणाः ॥ પંચમારામાં–કલિયુગમાં અનાર્ય ધર્મિોથી–અર્થાત જે લેકો રજેગુણી તમે ગુણી તથા અન્યાય પાપ કર્મ વગેરેથી જીવનારા છે તથા નીતિ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50