________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] નિમિત્તે થતું આત્માના પ્રદેશોનું કંપન) થી થાય છે; સ્થિતિબંધ અને અનુભાગબંધ કષાય (મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા, લોભ, આદિ) થી થાય છે. ૧૩૯ પ્ર. પ્રકૃતિબંધ કોને કહે છે?
ઉ. મોહાદિ જનક તથા જ્ઞાનાદિઘાતક તે તે સ્વભાવવાળા કાર્માણ પુદ્ગલ સ્કંધોના આત્મા સાથે સંબંધ થવો તેને પ્રકૃતિબંધ કહે છે. ૧૪૦ પ્ર. પ્રકૃતિબંધના કેટલા ભેદ છે?
ઉ. આઠ છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અન્તરાય. ૧૪૧ પ્ર. જ્ઞાનાવરણ કોને કહે છે?
ઉ. જે કર્મ આત્માના જ્ઞાનગુણના પર્યાયને ઘાતે (ઘાતમાં નિમિત્ત છે ) તેને જ્ઞાનાવરણકર્મ કહે છે. ૧૪૨ પ્ર. જ્ઞાનાવરણ કર્મના કેટલા ભેદ છે?
ઉ. પાંચ છે. મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, + કર્મ જીવના ગુણોનો ઘાત કરે છે તે ઉપચારકથન છે; ખરેખર એક દ્રવ્ય બીજાનો ઘાત કરે નહિ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com