________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
૪૮ ]
[ અધ્યાય : ૨ ઉ. જે કર્મના ઉદયથી એક શરીરનો એક સ્વામી હોય, તેને પ્રત્યેક નામકર્મ કહે છે. ૨૦૬ પ્ર. સાધારણ નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી એક શરીરના અનેક જીવ માલિક (સ્વામી ) હોય તેને સાધારણ નામકર્મ કહે છે. ૨૦૭ પ્ર. સ્થિર નામકર્મ અને અસ્થિર નામકર્મ કોને કહે છે ?
ઉ. જે કર્મના ઉદયથી શરીરની ધાતુ અને ઉપધાતુ પોતપોતાને ઠેકાણે રહે, તેને સ્થિર નામકર્મ કહે છે. અને જે કર્મના ઉદયથી શરીરની ધાતુ અને ઉપધાતુ પોત પોતાને ઠેકાણે ન રહે, તેને અસ્થિર નામકર્મ કહે છે. ૨૦૮ પ્ર. શુભ નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી શરીરના અવયવ સુંદર થાય, તેને શુભ નામકર્મ કહે છે. ૨૦૯ પ્ર. અશુભ નામકર્મ કોને કહે છે?
ઉ. જે કર્મના ઉદયથી શરીરના અવયવ સુંદર ના થાય, તેને અશુભ નામકર્મ કહે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com