________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ]
[ ૧/૯ જમીનની અંદર ચારસો ત્રીશ યોજન ને એક કોશ જેની જડ છે (મૂળ છે) એવો માનુષોત્તર નામનો પર્વત પડેલો છે. જેનાથી પુષ્કરદ્વીપના બે ખંડ થઈ ગયા છે. પુષ્કરદ્વીપના પહેલા અર્ધા ભાગમાં જમ્બુદ્વીપથી બમણી બમણી અર્થાત્ ઘાતકી ખંડદ્વીપની બરાબર બધી રચના છે જમ્બુદ્વીપ, ઘાતકી ખંડદ્વીપ અને પુષ્કરાર્ધદ્વીપ તથા લવણસમુદ્ર અને કાળોદધિ સમુદ્ર એટલા ક્ષેત્રને નરલોક કહે છે. પુષ્કરદ્વીપથી આગળ પરસ્પર એક બીજાને લપેટાયેલા બમણા બમણા વિસ્તારવાળા મધ્ય લોકના અંત સુધી દ્વીપ અને સમુદ્ર છે.
પાંચ મેરુ સંબંધી પાંચ ભરતક્ષેત્ર, પાંચ ઐરાવતક્ષેત્ર, દેવકુ, અને ઉત્તરકુરુને છોડીને પાંચ વિદેહક્ષેત્ર એવી રીતે સર્વે મળીને ૧૫ કર્મ ભૂમિ છે. પાંચહૈમવત અને પાંચ હૈરણ્યવત એ દશ ક્ષેત્રોમાં જઘન્યભોગભૂમિ છે પાંચ હરિ અને પાંચ રમ્યક એ દશ ક્ષેત્રોમાં મધ્યમ ભોગભૂમિ છે. અને પાંચ દેવકુર તથા પાંચ ઉત્તરકુરુ એ દશ ક્ષેત્રોમાં ઉત્તમ ભોગભૂમિ છે. જ્યાં અસિ, મસિ, કૃષિ, સેવા, શિલ્પ અને વાણિજ્ય એ છ કર્મોની પ્રવૃત્તિ છે, તેને કર્મભૂમિ કહે છે.
જ્યાં એ છે કર્મોની પ્રવૃત્તિ હોતી નથી. તેને ભોગભૂમિ કહે છે. મનુષ્યક્ષેત્રથી બહારના સમસ્ત દ્વીપોમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com