Book Title: Dikshanu Sundar Swawrup
Author(s): Sagaranandsuri
Publisher: Harshpushpamrut Jain Granthmala

View full book text
Previous | Next

Page 229
________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [ ૧પ૧ અંત:કરણથી દીક્ષાની ભાવના રાખી, માયા-પ્રપંચાદિ કરવા અને તેમ કરીને પણ અનુમતિ મેળવવી. તેમ છતાં જે તેઓ દીક્ષા માટે સંમત ન થાય, તે દીક્ષા લેનારે તેઓને ત્યાગ કરે : એવી ભાવનાએ કે–“મારા આત્માને ચારિત્રમાર્ગમાં પ્રવર્તાવીશ, તે કઈક દિવસ આ માતાપિતાદિને ધર્મ પ્રાપ્ત કરાવી શકીશ અને તેઓના આત્માને પણ હું ઉદ્ધાર કરાવી શકીશ.” જે મનુષ્ય એવી રીતે ભાવના રાખીને માબાપને ત્યાગ કરે છે, તે જ મનુષ્ય માબાપને હિત કરવાવાળો સમજે,-એમ શાસ્ત્રકારોએ સ્પષ્ટ જણાવ્યું છે. પણ જે મનુષ્ય માબાપની અનુમતિ નહિ મળવા માત્રથી, દીક્ષાને અંગિકાર નહિં કરતાં સંસારમાં લપટાઈ રહે છે, તે મનુષ્ય પિતાનું અહિત કર્યું, એટલું જ નહિ પરંતુ માબાપનું પણ તેણે અહિત જ કરેલું છે. આ બધી હકીકત શાસ્ત્રકારએ માતાપિતાની રજાના અધિકારમાં જ “તે ત્યાગ તે અત્યાગ છે અને અત્યાગ તે નિશ્ચયે ત્યાગ જ છે.”—એમ કહી માતાપિતાની અનુમતિ વિના પણ દીક્ષા લેવી એ શ્રેયસ્કર છે, એમ સ્પષ્ટપણે જણાવ્યું છે. આવી રીતે શાસ્ત્રકારોનાં કહેલાં વચનામાં એક જ વસ્તુ મૂખ્ય તત્ત્વ તરીકે તરી આવે છે, અને તે એ છે કે – દીક્ષા એ લેકોત્તર વસ્તુ છે. આત્મકલ્યાણને માર્ગ છે. મેક્ષની નિસરણું છે. અનંત કાળે મળેલી છે. ફરી મળવી દુર્લભ છે. તેવી દીક્ષાને કઈ પ્રકારે પણ અનાદર થાય નહિ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270