Book Title: Dikshanu Sundar Swawrup
Author(s): Sagaranandsuri
Publisher: Harshpushpamrut Jain Granthmala

View full book text
Previous | Next

Page 262
________________ ૧૮૪ ] પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત નિયત કરવામાં આવી છે અને તેને અમલ પણ થઈ રહ્યો છે. જેમ જેમ ગુન્હાએ વધુ વખત થાય છે, તેમ તેમ સાના વધારા પણ કરવામાં આવે છે, તેમ છતાં ગુન્હાના કાર્ય કરનારાઓની તે કુટેવા ઘણા ઓછા પ્રમાણમાં સુધરે છે. જેલાના રિપાર્ટીમાં દર્શાવવામાં આવતી ગુન્હેગારેાની સંખ્યાથી આ વાતની ખાત્રી થાય છે. માત્ર કાઇ કાઈ વખતે જ ગુન્હેગારોની સંખ્યામાં નહિ જેવા ઘટાડા થયેલે હાય છે. તેમાં પણ સંકડે પાસા ટકા તે પૂર્વના ગુન્હે ગારે જ સજા પામવાના ગુન્હાએ ફ્રીને કરે છે. હવે જ્યારે સત્તાવાન સરકાર શિક્ષણ અને સજા દ્વારાએ પણ અનીતિ આદિને નાબુદ કરી શકતી નથી, તેા પછી જૈન સાધુએના ઉપદેશ માત્રથી આખા સંસાર કે છેવટ આખી જૈન સમાજ પેાતાના અનાદિ કાળના આરંભ--સમારંભ કે વિષય-કષાયના સંસ્કારા છેડી દેશે, એ કલ્પના કેટલી મૂર્ખાઇભરી અને અસંભવિત છે ? જો સરકાર, વગર જરૂરી અનીતિ આદિને રોકવા માટે શિક્ષણ કે સત્તાદ્વારાએ સમર્થ નથી થતી, તેા પછી દુનિયામાં જરૂરી ગણાયેલા વિષય કષાયા, સાધુઓના ઉપદેશ માત્રથી નામશેષ થઇ જશે, એ માનવું કેટલું ભૂલભરેલું છે ? આથી સાધુઓના ઉપદેશની આડે સમાજવિચ્છેદના જે ભય બતાવવામાં આવે છે, તે ત્યાગમાર્ગને બંધ કરવાની એક કલ્પના માત્ર જ છે, પરંતુ તેવી કલ્પના કરનાર ડાહ્યામાં ખપી શકે એમ નથી. શિક્ષણની શરૂઆત કરતાં જ જો સરકારે એમ માન્યું હાત કે નીતિના ફાયદા, અનીતિના ગેરફાયદા અને અનીતિ કરનારાઓને સજા કરવાનું જણાવ્યાથી, જગમાં અનીતિનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268 269 270