Book Title: Dikshanu Sundar Swawrup
Author(s): Sagaranandsuri
Publisher: Harshpushpamrut Jain Granthmala

View full book text
Previous | Next

Page 243
________________ દર ૩૩ શા સુધીમાં જ ઈ દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [૧૬૫ પરલેકાદિથી માંડીને મોક્ષ સુધીના પદાર્થોનો સત્યપણે નિર્ણય થઈ ગયે, તે જગપ્રવાહમાં જણાતો તે તે વિષને મતભેદ એક ક્ષણ પણ ટકે નહિ. પણ આપણે જોઈ શકીએ છીએ કે–પલેક અને મેક્ષાદિના વિધાનમાં મતભેદને રાફડો ફાટેલે છે, તેનું કારણ એક જ છે કે–પરલોક અને મેક્ષાદિ વિધિની સત્યતાને નિર્ણય એકલા અનુમાન ઉપર અવલંબીને રહેલો નથી. પરંતુ તેને નિર્ણય અતીન્દ્રિય જ્ઞાનીઓનાં વચનો ઉપર જ અવલંબે છે. જે કે–સર્વ મનુષ્ય જેમ પોતાને ધર્મના જાણકાર અને ધર્મમય આચરણ કરવાવાળા મનાવવાને તૈયાર હોય છે, તેવી જ રીતે સર્વ ધર્મનિષ લોકે પિતાના ઇશ્વરને અતીન્દ્રિય દ્રષ્ટા ગણવામાં જ તૈયાર હોય છે. અને તેથી જુદા જુદા મતવાળાઓ પિતપોતાનાં શાસ્ત્રોનાં વચન પ્રમાણે પરલેકાદિકને નિશ્ચય કરે છે. આજ કારણે પરેલેકાદિકને અંગે ઘણા જ મતભેદે જગતપ્રવાહમાં થયેલા અને થતા દેખવામાં આવે છે; પણ જેમ દુનિયામાં શુદ્ધ ચાંદી અને જરમન સીલવર, હીરા અને ઈમીટેશન મેતી અને કલચર વિગેરે સાચા અને બનાવટી, બને પ્રકારના પદાર્થો વિશાળ સંખ્યામાં દેખાવા છતાં પણ, સત્ય પદાર્થની અપેક્ષા રાખવાવાળાઓ સત્યને ગ્રહણ કરવા માટે તીવ્ર પ્રયત્ન આદરતા દેખાય છે. પણ સત્યના ને અસત્યના મિશ્રણથી કંટાળતા નથી કે ઉદાસીન પણ થતા નથી. તેવી રીતે આત્માને અંગે પરલોકાદિના સત્ય માર્ગને શેધવાવાળાએ અસત્ય માર્ગોનો બહોળો પ્રચાર દેખીને કંટાળવું કે ઉદાસીન થવું એ કોઈપણ પ્રકારે ગ્ય નથી, કિન્તુ પરલેકાદિની સત્યતાના નિર્ણયને માટે સત્ય અતીન્દ્રિય દ્રષ્ટાની ગવેષણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270