________________
પંચસૂત્ર
હોય. એથી આ વિશેષણની જરૂર નથી.
ઉત્તરપક્ષ— એમ ન કહેવું. કેમકે કેટલાકો અસત્યનો સ્વીકાર કરે છે. અસત્યના સ્વીકારનો નિષેધ કરવા યથાસ્થિતવસ્તુવાદી વિશેષણ જરૂરી છે. અસત્યનો સ્વીકાર આ પ્રમાણે છે-વીતરાગ, સર્વજ્ઞ અને દેવેંદ્રપૂજિત પણ યથાસ્થિત વસ્તુવાદી નથી એમ કેટલાકો માને છે. તેમનું કહેવું છે કે- વસ્તુ વાધામોઘ: =વસ્તુ વાણીનો વિષય જ નથી, અર્થાત્ કોઇ પણ વસ્તુ વાણીથી કહી શકાતી જ નથી, (કેમકે એની એવી માન્યતા છે કે-શબ્દ અને અર્થનો સંબંધ જ થઇ શકતો નથી. આથી જગતમાં યથાર્થ વસ્તુવાદી કોઇ જ નથી.) આવી માન્યતા અસત્ય માન્યતા છે. આવી અસત્ય માન્યતાનો નિષેધ કરવા અહીં‘યથાસ્થિત વસ્તુવાદી’ એવા વિશેષણનું ગ્રહણ કર્યું છે.
૧૦
પહેલું સૂત્ર
પૂર્વપક્ષ— જો એમ છે તો ‘યથાસ્થિત વસ્તુવાદી’ એ જ વિશેષણ ગ્રહણ કરવું સારું છે, વીતરાગ વગેરે વિશેષણોને ગ્રહણ કરવાની જરૂ૨ નથી.
ઉત્તરપક્ષ— પૂર્વધર વગેરે પણ અરિહંત ભગવાનની જેમ યથાસ્થિતવસ્તુવાદી છે. આથી તેમનો નિષેધ કરવા વીતરાગ વગેરે વિશેષણોનું ગ્રહણ કર્યું છે.
બધા સ્થળે ઉત્કૃષ્ટ ગુણી સ્તુતિ કરવા યોગ્ય છે. તથા “ઉત્કૃષ્ટગુણીના ઉત્કૃષ્ટ ગુણોની સ્તુતિ કરવામાં ઉત્કૃષ્ટ ગુણોની અંતર્ગત બીજા (અવાંતર) ગુણોની સ્તુતિ થઇ જ જાય છે.’’ એવો ન્યાય જણાવવા માટે અહીં પૂર્વધર વગેરેનો નિષેધ કર્યો છે, નહિ કે એમને ખાસ બાદ રાખવા માટે જ નિષેધ કર્યો છે.
અહીં તાત્પર્ય આ પ્રમાણે છે— યથાસ્થિતવસ્તુવાદી એમ કહીને અરિહંતના ‘યથાસ્થિતવસ્તુવાદ’ ગુણની સ્તુતિ કરી. એ સ્તુતિ કરવાથી અરિહંતમાં રહેલા વીતરાગતા, સર્વજ્ઞતા, દેવેંદ્રપૂજ્યતા વગેરે ગુણોની સ્તુતિ થઇ જ જાય છે. આથી એ ગુણોને પ્રગટ રૂપે જણાવવા માટે અહીં ‘વીતરાગ' વગેરે વિશેષણો મૂક્યા છે. બાકી પૂર્વધર વગેરેની સ્તુતિ ન જ કરવી એમ માત્ર નિષેધ કરવા માટે જ ‘વીતરાગ' વગેરે વિશેષણો મૂક્યા છે એમ ન સમજવું.
एभिचतुर्भिर्विशेषणपदैरपायापगमातिशयादयश्चत्वारो मूलातिशया उक्ता वेदितव्याः । तद्यथा- अपायापगमातिशय: १, ज्ञानातिशय: २, पूजातिशयः ३, वागतिशय ४ श्च यथोद्देशमेव च वेदितव्याः । अनेनैव क्रमेणैतेषां भावात् । तथाहि वीतरागो १ भूत्वा सर्वज्ञो २ भवति, सर्वज्ञस्य च पूजातिशयसंभव: ३, तदनु धर्मदेशना ४, इति । अनेनैव क्रमेणैतेषां भाव इति । एतदविनाभाविनो
1