Book Title: Panch Sutram
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 157
________________ પંચસૂત્ર ૧૪૪ પાંચમું સૂત્ર ફરી પાછો આવતો હોય તો બાલ્યાવસ્થા વગેરેની નિવૃત્તિ ન થાય, અર્થાત્ ગયેલી બાલ્યાવસ્થા ફરી આવે. કારણ કે કાળનો બાલ્યાવસ્થા વગેરે કરવાનો સ્વભાવ છે. આ પ્રમાણે (બરોબર) વિચારવું. આથી ભવ્યોનો ક્ષય ન થાય એ નિશ્ચિત થયું. કેટલાક જીવોનું ભવ્યત્વ યોગ્યતામાત્ર હોય છે, અર્થાત્ જે જીવો ભવ્ય હોવા છતાં ક્યારે પણ સિદ્ધ નહિ થાય તે કેટલાક =જાતિભવ્ય) જીવોનું ભવ્યત્વ યોગ્યતા માત્ર જ છે. આ વિષે આગમ આ પ્રમાણે છે-“કેટલાક ભવ્યો પણ સિદ્ધ નહિ થાય.” વગેરે. ૨૫. જાતિભવ્ય અને અભવ્યમાં યોગ્યતા-અયોગ્યતાની દષ્ટિએ ભેદ. भव्वत्तं जोगयामित्तमेव, केसिंचि पडिमाजुग्गदारु-निदंसणेणं ॥२५॥ ___ भव्यत्वं सिद्धिगमनयोग्यत्वम् । फलगम्या च योग्यता । को वा एवमभव्येभ्यो विशेषो भव्यानाम् ? इत्याशङ्काव्यपोहायाह-प्रतिमायोग्यदारुनिदर्शनेन, तथा हि-तुल्यायां प्रतिनिष्पत्तौ तथाप्येकं दारुप्रतिमायोग्यं ग्रन्थ्यादिशून्यतया न तदन्यद्युक्ततयेत्यादिविद्वदङ्गनादिसिद्धमेतत् । સૂત્ર-ટીકાર્થ – ભવ્યત્વ એટલે મોક્ષમાં જવાની યોગ્યતા. આ યોગ્યતા કાર્યથી જાણી શકાય છે. (જે જીવો મોક્ષમાં ગયા છે, જે જીવોને મોક્ષની રુચિ થાય, જે જીવોને મોક્ષમાર્ગની રુચિ થાય, જે જીવો ભાવથી મોક્ષમાર્ગની આરાધના કરે, એ બધા જીવો ભવ્ય છે એમ નિર્ણય કરી શકાય.) પ્રબ– જો ભવ્યો પણ મોક્ષમાં ન જાય તો અભવ્યોથી ભવ્યોની શી વિશેષતા ? ઉત્તર- આ વિષયમાં પ્રતિમાયોગ્ય કાષ્ઠનું દૃષ્ટાંત છે. પ્રતિમા ઘડવાનું સમાન હોવા છતાં કાષ્ઠ કાષ્ઠમાં ભેદ હોય છે. એક કાષ્ઠ ગાંઠ આદિથી રહિત હોવાથી પ્રતિમાને યોગ્ય છે. અને બીજું કાષ્ઠ ગાંઠ આદિવાળું હોવાથી પ્રતિમાને યોગ્ય નથી. તથા જે કાષ્ઠ પ્રતિમાને યોગ્ય હોય તેમાંથી પ્રતિમા બને જ એવો નિયમ નહિ. છતાં પ્રતિમા બનાવવાને યોગ્ય અને પ્રતિમા બનાવવાને અયોગ્ય એ બંને પ્રકારના કાષ્ઠમાં યોગ્યતા અને અયોગ્યતાની દૃષ્ટિએ ભેદ છે. આ વિગત લોકમાં વિદ્વાનોથી માંડીને સ્ત્રીઓ સુધી જાણીતી છે. તે પ્રમાણે જાતિભવ્યમાં

Loading...

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194