Book Title: Panch Sutram
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
પંચસૂત્ર
૧૫૫
ધર્મબીજો
આ પ્રમાણે “પ્રવજ્યાફલ' નામનું સૂત્ર પૂર્ણ થયું. આ પ્રમાણે પાંચમા સૂત્રની વ્યાખ્યા પૂર્ણ થઈ. વ્યાખ્યાનથી પણ પંચસૂત્ર પૂર્ણ થયું.
પૂજ્ય શ્રુતદેવતાને નમસ્કાર થાઓ. નમસ્કાર કરવાને યોગ્ય સર્વને નમસ્કાર થાઓ. વંદન કરવા યોગ્ય સર્વને હું વંદન કરું છું. સર્વ ઉપકારીઓની વૈયાવૃત્યને હું ઇચ્છું છું. સર્વ (પૂજ્યો)ના પ્રભાવથી ઔચિત્યપૂર્વક મારી ધર્મમાં પ્રવૃત્તિ થાઓ. સર્વ જીવો સુખી થાઓ. સર્વ જીવો સુખી થાઓ. સર્વ જીવો સુખી થાઓ.
પંચસૂત્રની ટીકા પૂર્ણ થઈ. ધર્મની દષ્ટિએ યાકિની મહત્તરાના પુત્ર શ્વેતાંબર આચાર્ય શ્રી હરિભદ્રસૂરિની આ કૃતિ છે. આ ગ્રંથનું પ્રમાણ અનુષ્ટ્રમ્ છંદ પ્રમાણે ૮૮૦ (આઠસો ને એંશી) શ્લોકો છે.
૩૧. અનુવાદકારની પ્રશસ્તિ પરમ શ્રદ્ધેય પ.પૂ.ચિરંતનાચાર્ય વિરચિત અને સુગૃહીતનામધેય પ.પૂ.આચાર્ય દેવ શ્રી હરિભદ્રસૂરિ મહારાજ વિરચિત ટીકા સહિત પંચસૂત્ર ગ્રંથનો સિદ્ધાંત મહોદધિ સ્વ. પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.ના પટ્ટાલંકાર પરમ ગીતાર્થ પ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજયહીરસૂરીશ્વરજી મ.ના પટ્ટાલંકારવર્ધમાન તપોનિધિ પ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય લલિતશેખરસૂરીશ્વરજી મ.ના શિષ્ય ગુરુતત્ત્વ વિનિશ્ચય, યોગદષ્ટિ સમુચ્ચય, યોગબિંદુ, ધર્મબિંદુ, પંચાશક, પંચવસ્તુક, વીતરાગ સ્તોત્ર, ઉપદેશમાલા (પુષ્પમાલા), ઉપદેશપદ, શ્રાવકધર્મવિધિ પ્રકરણ, શીલોપદેશમાલા, શ્રાદ્ધદિનકૃત્ય આદિ અનેક ગ્રંથોના ભાવાનુવાદકાર આચાર્ય શ્રીરાજશેખરસૂરિએ કરેલો ગુજરાતી ભાવાનુવાદ પૂર્ણ થયો. પ્રારંભ સમય
પૂર્ણાહુતિ સમય વિ.સં. ૨૦૫૯ ચૈત્ર વદ-૫ વિ.સં. ૨૦૫૯ જેઠ સુદ-૧૦ પ્રારંભ સ્થળ
પૂર્ણાહુતિ સ્થળ મુંબઇ-બોરીવલી (વેસ્ટ)
ભગવાનજીભાઇનો બંગલો, ચંદાવરકર લેન, જેન ઉપાશ્રય, હરિનિવાસ, નીપાડા, થાણા. (શ્રી મહાવીરસ્વામીની છત્રછાયામાં) (શ્રી ચંદ્રપ્રભ સ્વામીની છત્રછાયામાં)

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194