Book Title: Dharm Jigyasu Akbar Ane Acharya Hirsuriji
Author(s): Dalpatram Bhaishankar Raval
Publisher: Devchand Damji Kundlakar

View full book text
Previous | Next

Page 191
________________ [૧૮] ધર્મ જીજ્ઞાસુ અકબર. દરબારમાં પહોંચી ગયો હોત. વારુ, બીરબલ, અત્યારે તમે અમરસિંહના શબને અહિંથી ઉપડાવી ચેકીમાં રાખે. હને અત્યારે ચેડી વિશ્રાન્તિની જરૂર છે.” તરત જ માનસીંહ અને બીરબલ અમરસિંહના શબને ત્યાંથી ઉપડાવીને લઈ ગયા. ત્યારપછી બાદશાહ પદ્માના મુખપર ગુલાબજળનો છંટકાવ કરવા લાગ્યું. ગુલાબજળના સિંચનથી પવાને સહજ શાનિત વળી હેય એમ જણાયું. જો કે હજી સુધી તેણે પોતાનાં નેત્રે ઉઘાડયાં નહોતાં તથાપિ તેના કપાળમાં કરચલીઓ પડી અને તેણે એક મંદ નિઃશ્વાસ મૂક્યું. પદ્યા, ન ગભરા.” અકબર બે . પરંતુ પવાના મુખમાંથી ઉત્તર નજ મળે. તેની મૂચ્છ ગાઢ હોય તેમ તેને લાગ્યું. એટલે ફરીથી અકબર પવન ઢાળવા લાગે. થોડીવાર પછી પદ્માના કપાળમાં પુન: કરચલીઓ પડી; કેટલીકવાર પછી તેણે નેત્ર ઉઘાડયાં અને તે અકબર પ્રત્યે તાકી રહી. પરંતુ હજી તેણી શુદ્ધિમાં તે નહતી જ. તેની દષ્ટિ અકબરને ઓળખી શકી હોય તેમ જણાયું નહિ. દેવિ ! હુને ઓળખે કે ?” અકબરે યમાના કપાળ પર હાથ ફેરવતાં પૂછ્યું. પડ્યા હવે શુદ્ધિમાં આવતી જતી હતી. અકબરના શબ્દો સાંભળીને તે સહજ ચમકી અને તેના તરફ સૂક્ષ્મદષ્ટિથી જોવા લાગી. પતિને ઓળખતાંની સાથે જ તેની આંખમાં ઝળઝળી ભરાઈ આવ્યાં. પરંતુ તેનામાં બોલવાની શક્તિ નહતી. દેવિ! સ્વસ્થપણે ઉંઘી જાઓ!” અકબર પહ્માનાં અશ્રુ લૂછતે બોલ્યો. પદમાએ પોતાનાં નેત્રો મીચ્યાં. કેટલીક વાર પછી પમાએ પુન: નેત્ર ઉઘાડતાં બાદશાહ તરફ જોઈને બેલી: “નાથ! હવે હું જીવવાની નથી!” “આવું હદયવેધક ન બેલ. હને જન્મ થયે નથી. મૂર્છા વળતાંજ આરામ જણાશે.” અકબરે આશ્વાસન આપ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214