Book Title: Dharm Jigyasu Akbar Ane Acharya Hirsuriji
Author(s): Dalpatram Bhaishankar Raval
Publisher: Devchand Damji Kundlakar

View full book text
Previous | Next

Page 206
________________ સૂરિની સેવા. [૧૩] “મહારાજ, આપનું માનવું સામાન્ય પ્રાણુ માટે સાચું માની શકાય, પરંતુ આપ જેવા સમતાના સાગર માટે એવી અનેક નદીયો આવી મળે તે પણ આવી ભીતિને સંભવ રહેતો નથી. એટલે તે બાબતમાં આપને આગ્રહ કરવા જેવું લાગતું નથી. આ પ્રસંગે આપને તસ્દી આપવાને મારે હેતુ જુદે જ છે.” અકબરે જવાબ આપતાં નવી વાત ઉપાડી. કહો ખુશીથી કહે, જ્ઞાનગોષ્ટી કરવી એ અમારું કર્તવ્ય છે.” સૂરિશ્વરે જણાવ્યું. “મહારાજ, આપને તસ્દી આપવાને મારે હેતુ આપને અત્રે હમેશના માટે રેકી રાખવાને આગ્રહ કરવાને હતું, પરંતુ તે માટે આપે ખુલાસે કરી નાંખ્યો છે. તે હવે મારી એક અભિલાષા તૃપ્ત કરશે તે મને સંતોષ થશે.” અકબરે નવી માગણી કરવાની ઈચ્છા દર્શાવી. “રાજન, અમારા આચારને ખાધ ન આવે તેવું કઈ પણ સેવાનું કાર્ય કરવાને હું સદા તતરજ છું; આપને માટે તેમાં શંકા ન લાવતા ખુશીથી કહે.” સૂરિજીએ જણાવ્યું. સૂરિ મહારાજ, આપે મને ધર્મબોધ આપીને અનેક ઉપકાર કર્યા છે. હવે જ્યારે આપ ગુજરાત તરફ જવાને નિશ્ચય ફેરવી શક્તા નથી, તે મને કંઈ એવી સેવા ફરમાવે કે જેથી મારી ઈચ્છા તૃપ્ત થાય અને આપના સમાગમનું હમેશાં સ્મરણ રહી શકે.” અકબરે માગણી કરી. રાજન, તમે પ્રાણરક્ષાનાં તથા મનુષ્ય પ્રત્યેની સરલતા વધારનારાં જે જે કાર્યો કરી રહ્યા છે તેથી મને સંતોષ થાય છે. તમારી આ સેવા કંઈ ઓછી નથી કે જેથી હવે મને કંઈ વિશેષ કહેવાનું રહેતું હોય. છતાં તમારી ઈચ્છાને વધારે આદર મળે તે માટે અને તે તિર્થોનું રક્ષણ કરવા હું ભલામણ કરૂં છું.” આચાર્યશ્રીએ માર્ગ દર્શાવ્યું. 17 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210 211 212 213 214